આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો વિજય: યુરોપિયન યુનિયનમાં CAA વિરૂદ્ધ મતદાન નહીં થાય

નાગરિકતા અંગેના નવા કાયદાના મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક ઝળહળતી સફળતા મેળવી હતી. યૂરોપિયન યુનિયનમાં આ કાયદા વિરુ્દ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ પર મતદાન નહીં થાય. યૂરોપિયન યુનિયને ગયા સપ્તાહની આખરે ભારતમાં ઘડાયેલા આ કાયદાની ટીકા કરી હતી અને એને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. યૂરોપિયન યુનિયનના આ દોઢ ડહાપણનો ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું […]

Continue Reading

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે : CM રૂપાણી

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪-૨૬ ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે એ નિશ્ચિત બન્યું છે. પ્રેસિડેન્ટ તેમના ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યા છે તેનો પ્રારંભ વિશ્વ વિભૂતિઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ એવા ગુજરાતથી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતે અમેરિકી પ્રમુખના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને એમાંય પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઐતિહાસિક […]

Continue Reading

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 170ના મોત, 24 ક્લાકમાં 1700 કેસ નોંધાયા

ચીનમાં કોરોના વાયરસને કારણે 170 લોકોના મોત થઈ ગયા છે. વીતેલા 24 ક્લાકમાં કોરોના વાયરસથી 38 લોકોના મોત થયા છે અને 1700 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના વધતા પ્રભાવને જોઈને વિશ્વ આરોગ્યા સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું છે કે, તેઓ ગુરુવારે બીજી ઈમરજન્સી બેઠક બોલાવશે. જેમાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. ડબ્લ્યુએચઓના […]

Continue Reading

સોનાના ભાવ આસમાને પહોંચતા ભારતમાં માગમાં ઘટાડો થયો : WGC

ભારત સોનાના વપરાશ કાર દેશોમાં ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં સોનામાં રોકાણનો દર ઊંચો છે. 2019માં સોનાની કિંમત સતત વધવાથી તેના ભાવ આસમાને પોહંચ્યા હતા. પરિણામે દેશમાં સોનાની માગમાં ઘટાડો નોંધાયો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે. 2019ના કેલેન્ડર વર્ષમાં ભારતમાં સોનાની માગ નવ ટકા ઘટીને 690.4 ટન રહી હતી. જો કે […]

Continue Reading

ચીનથી વડોદરા પરત આવેલા 3 યુવાનોનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું, યુવાને કહ્યું: ‘ચીનમાં જીવવુ મુશ્કેલ છે’

કોરોના વાઈરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા 2 યુવાનો સહિત 3 લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા. તેઓ મુંબઇ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું. જોકે તેઓમાં કોરોના વાઈરસના કોઇ લક્ષણો જણાયા ન હતા. જેથી તેઓને ઘરે જવા […]

Continue Reading

કૃષ્ણનગરમાં દલિત મહિલાને અંબે માતાના “મંદિરમાં” પ્રવેશબંધી ફરમાવતા પોલીસ ફરિયાદ

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શ્રીકૃષ્ણ ટાવરમાં રહેતી દલિત મહિલાને ફ્લેટમાં આવેલા અંબે માતાના મંદિરમાં પ્રવેશવાને લઇ વિવાદ સામે આવ્યો છે. મહિલા જયારે મંદિરમાં જાય ત્યારે ફ્લેટમાં રહેતા રમીલાબેન શાહ જાતિગત ભેદભાવ રાખી ફ્લેટના સિક્યુરિટીને કહી મહિલાને બહાર કાઢી મૂકે છે. દર્શન માટે જયારે જાય ત્યારે મંદિરમાં પાછળ પાછળ આવે છે. જેથી મહિલાએ આ મામલે કૃષ્ણનગર […]

Continue Reading

પ્રયાગરાજ: મૌની અમાવસ પર એક કરોડથી વધારે શ્રદ્ધાળુઓનું ગંગા સ્નાન

માઘ મેળાનું સૌથી પ્રમુખ સ્નાન પર્વ મૌની અમાવસ્યા પક શુક્રવારે સાંજ સુધી એક કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી સ્નાન કર્યું છે. મેળા પ્રશાસને શ્રદ્ધાળુઓની સુવિધા માટે 20 સ્નાન ઘાટ બનાવ્યા હતા.  મેળા અધિકારી રજનીશ મિશ્રાએ જણાવ્યું કે, મૌની અમાવસ પર સવારે ચાર વાગ્યેથી જ સ્નાન શરુ થઇ ગયું હતુ અને કડાકાની ઠંડી હોવા […]

Continue Reading

ચૂંટણી કાર્ડ હવે આધાર સાથે લિન્ક કરવું ફરજિયાત થશે, સરકાર કાયદો લાવી રહી છે

દેશમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે ઓળખને લઇને દસ્તાવેજો મામલે પણ વિવાદ સર્જાયો છે, એવામાં સરકાર વોટર આઇડી સાથે આધાર કાર્ડ લિન્ક કરવાનું ફરજિયાત બનાવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાયદા વિભાગે આ મામલે ચૂંટણી પંચ તરફથી મળેલી ભલામણોને સ્વીકારી લીધી છે. મંત્રાલય દ્વારા આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી છે. જેને […]

Continue Reading

ખંભાત : અકબરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત

ખંભાતના અક્બરપુરા વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. અથડામણના પગલે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ સર્જાયો હતો. ક્યાંક કોઈ જગ્યાએ ટોળાએ આગ ચંપી પણ કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા સમગ્ર જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને […]

Continue Reading

Coronavirus: બેઇજિંગમાં હાઇ લેવલ ઇમરજન્સી જાહેર કરાઇ, 800થી વધારે કેસો નોંધાયા

ચીનમાં ઘાતક કોરોનાવાયરસના સંક્રમણ પછી રાજધાની બેઇજિંગમાં હાઇ ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને પ્રશાસને આ સમસ્યાથી બચવા માટે નવા માર્ગદર્શન જારી કર્યા છે. ચીની પ્રશાસન મુજબ બેઇજિંગમાં કોરોનાવાયરસના 29 કેસોની ખાતરી કરવામાં આવી છે જેને પગલે હવે શાંઘાઇમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિકિસ્તા સૂત્રોની જાણકારી મુજબ આ બીમારીથી મોટી સંખ્યામાં લોકો […]

Continue Reading