ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ મોડી રાતે વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંતે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રમોદ સાવંતે કહ્યુ કે પાર્ટીએ મને બહુ મોટી જવાબદારી આપી છે. હું પૂરી કરવાની કોશિશ કરીશ કે મારી આ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરી શકુ. મનોહર પરિકરનો આભાર વ્યક્ત કરતા સાવંતે કહ્યુ કે આજે હું જે કંઈ પણ છુ તે મનોહર પરિકરના કારણે છુ. પરિકરજી જ મને રાજકારણમાં લઈને આવ્યા હતા. હું રાજ્યની વિધાનસભામાં સ્પીકર બન્યો અને આજે મુખ્યમંત્રી બન્યો છુ માત્ર તેમના કારણે.

