રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડુતો ચિંતાતુર, પાક પલળી જતા મોટુ નુકશાન

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગત મોડી રાત્રીએ ગાજવીજ સાથે કમોસમી વરસાદે આગમન કર્યું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કારણકે તેમનો ઉભો પાક પણ પલળી ગયો છે. લોકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોની પણ માગ […]

Continue Reading

ગઈકાલના તમામ 11 રિપોર્ટ નેગેટિવ, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં: ડૉ.જયંતિ રવિ

ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જે તમામ નેગેટિવ આવ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય દર્દી મોટી વયના […]

Continue Reading

તમામ પ્રકારની લોન પરના હપ્તા ભરવામાં 3 મહિનાની રાહત આપતી રીઝર્વ બેન્ક

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને નાના ઉદ્યોગકારો માટે મહત્વની જાહેરાત કહી શકાય તે એ હતી કે આગામી ત્રણ મહિના સુધી જો કોઈ વ્યક્તિ કે કંપની હોમ લોન, કોર્પોરેટ લોન, પર્સનલ લોન સહીતની વિવિધ લોનના EMI નહિ […]

Continue Reading

ચીન લોકડાઉનમાં ઢીલની ઉતાવળ કરશે તો કોરોનાનો વધુ એક રાઉન્ડ આવશે

કોરોના વાયરસનાં ઉદગમ સ્થાન એવાં ચીનના વુહાનમાં શાળાઓ તથા ફેક્ટરીઓ વગેરેના લોકડાઉનને ખોલવામાં ચીન ઉતાવળ નહીં કરે તો કોરોના વાયરસના બીજા રાઉન્ડને એટલો સમય ટાળી શકાશે. વિશ્વના અન્ય દેશો પણ આ બાબતની નોંધ લઇ લોકડાઉન હળવો કરવાની ઉતાવળ ના કરે તેવી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે.  ચીનમાં લોકોની અવરજવર પર નિયંત્રણો સહિતનાં પગલાંને સફળતા […]

Continue Reading

કેન્દ્ર સરકારે ગરીબોને સહાય કરવા 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે. નાણાં […]

Continue Reading

રાજકોટમાં સ્થાનિક યુવક બન્યો કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા થઈ પાંચ: જાણો કેવી રીતે લાગ્યો ચેપ?

રાજકોટ શહેરમાં કોરોના વાઇરસ COVID19નો વધુ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેના પગલે શહેરમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે. આ સાથે શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દુબઈથી આવેલા યુવકને કોરોના પોઝિટવ આવ્યો છે અને આ યુવકના સંપર્કમાં આવ્યો હોવાથી રાજકોટનો 37 વર્ષીય યુવક પણ કોરોનાથી સંક્રમિત બનીને પોઝિટિવ […]

Continue Reading

રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી: અન્ય દર્દીઓની સાથે જ થતો’તો કોરોના શંકાસ્પદ દર્દીનો એકસ રે

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બેથી ત્રણ હજાર દર્દીઓની અવર જવર રહેતી હોય છે તો ઓર્થોપેડીક સહિતના 50 કરતાં પણ વધારે દર્દીઓ અહીં એકસ રે માટે આવતાં હોય છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસે દહેશત મચાવી છે ત્યારે અહીં સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ આવેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં શરૂ કરવામાં આવ્યો છે. જો […]

Continue Reading

કોરોના ચેપઃ ગુજરાતમાં ચાર નવા કેસ સાથે કુલ 33 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. મંગળવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સુરતમાં બે તેમજ ગાંધીનગરમાં બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે 23મી માર્ચના મધરાતથી 31મી સુધી સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપી દીધા છે. દવાઓ, આરોગ્ય […]

Continue Reading

યુદ્ધ વખતે પણ રેલવે બંધ નહતી થઈ, હવે તો ગંભીરતા સમજો: રેલવે મંત્રાલય

કોરોના વાયરસના કારણ દેશમાં એક તરફ ડરનો માહોલ બનેલો છે. દેશના 30 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. મોટા ભાગના જિલ્લાઓમાં કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો છે. એવું પહેલી વખત થયું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોરોનાના ડરના કારણે ભારતીય રેલવેને પણ બંધ […]

Continue Reading

કોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી

પાકિસ્તાન શાર્ક દેશોમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. સ્થિતિ વધારે ખરાબ થતા પાકિસ્તાને હવે સેના તહેનાત કરવાનો નિર્ણય લીધો છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને યોગ્ય રીતે લાગુ કરી શકાય. દેશમાં અત્યાર સુધી 800થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં સિંઘ અને પંજાબ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  આ બંને જ પ્રાંત હાલ લોકડાઉન […]

Continue Reading