વિશ્વ ઉમિયાધામ મંદિરની આજે સાંજે 4 વાગ્યે શિલાન્યાસ વિધિ, ગર્ભગૃહમાં 14 કિલો પંચધાતુ મિશ્રણથી શુદ્ધિકરણ

આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાશે. આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના […]

Continue Reading

કોરોના ફેલાયો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે, કિમ જોંગની અધિકારીઓને ધમકી

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર પાડોશી દેશ નોર્થ કોરિયામાં પણ જોવા મળી રહી છે. આખી દુનિયામાં આ વાયરસથી મોતને ભેટેલા લોકોનો આંકડો 3000 સુધી પહોંચવા આવ્યો છે. આમાંથી 2835 મોત ચીનમાં જ થયા છે. જોકે વાયરસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગમાં ફફડાટ વ્યાપી ગયો છે. કિમ જોંગે પોતાના અધિકારીઓને ધમકી આપી છે કે, જો વાયરસ […]

Continue Reading

ગો એરની અ’વાદ-જયપુર ફ્લાઈટમાં કબૂતર ઉડ્યા, હોબાળો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના હતા તે સમયે અમદાવાદ એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું હતું. તે સમયે અમદાવાદના એરપોર્ટ પર સતત ફટાકડા ફોડીને પક્ષીઓને દૂર ભગાડવામાં આવતા હતા જેથી ફ્લાઈટને બર્ડ હિટ ના થઈ શકે. ટ્રમ્પ ગયા બાદ તંત્ર ફરી રાબેતા મૂજબ થઈ ગયું હોવાનો એક બોલતો પુરાવો તાજેતરમાં જોવા મળ્યો છે. ગો એરની […]

Continue Reading

ન્યૂઝીલેન્ડમાં હાફ સેન્ચુરી ફટકારનાર સચિન બાદ પૃથ્વી બીજો સૌથી યુવા ખેલાડી

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલ બે મેચની ટેસ્ટ સીરીઝના બીજા અને અંતિમ મુકાબલામાં પૃથ્વી શોએ આખરે હાફ સેન્ચુરી ફટકારી છે. તેણે 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી છે. તેણે પોતાની ઈનિંગમાં આઠ ફોર અને એક સિક્સ ફટકારી હતી. આ […]

Continue Reading

વિમેન્સ ટી20 વર્લ્ડ કપ: રાધા યાદવની ચાર વિકેટ, શ્રીલંકા સામે ભારતનો સાત વિકેટે વિજય

મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને પોતાનો વિજય રથ આગળ ધપાવ્યો છે. ત્રણ મુકાબલા જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ આજે શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં શ્રીલંકાએ પ્રથમ ટોસ જેતીને બેટિંગ લીધી હતી. ભારતીય બોલર્સના શ્રેષ્ઠ દેખાવને પગલે શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 113 રન જ કરી શકી હતી. રાધા […]

Continue Reading

વૈષ્ણોદેવી સર્કલ પાસે 431 ફૂટ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, 11 હજાર મહિલાઓ જ્વારા યાત્રામાં જોડાશે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાશે. આજે શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11 […]

Continue Reading

કોરોના વાઇરસે શૅરબજારને ડરાવ્યું, સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો

ચીનના કોરોના વાઇરસે દુનિયાભરના અર્થતંત્રની સાથોસાથ ભારતીય શૅરબજારને પણ અસર કરી હતી. આજે શુક્રવારે સવારે 1200 પોઇન્ટના કડાકા સાથે બજાર ખુલ્યું હતું. ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 4,00,000 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. ગયા વર્ષના ઓક્ટોબરની 17મી પછી આ સૌથી મોટો કડાકો હતો. સેન્સેક્સ 1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા જેટલો તૂટ્યો હતો. નીફ્ટી 312 એટલે કે […]

Continue Reading

શાહરૂખના સાસુની કંપનીને 3.09 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

અલીબાગના થાલમાં બનેલા આલીશાન બંગલા માટે દેજા વૂ ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ પર 3.09 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુ સવિતા છીબા અને પત્ની ગૌરી ખાનની બહેન નમિતા છીબા આ કંપનીના ડાયરેક્ટર છે. આ બંગલો 2018માં બનાવવામાં આવ્યો હતો અને અહીં બોલિવૂડની ઘણી બધી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ થયેલી છે. શાહરૂખ ખાનના 52નાં […]

Continue Reading

પૃથ્વી શો ન્યૂઝીલેન્ટ સામેની બીજી ટેસ્ટ રમશે : શાસ્ત્રી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી અને સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓપનર પૃથ્વી શોનું ઈજાને લીધે રમવું અનિશ્ચિત હતું જો કે હવે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. શાસ્ત્રીએ જણાવ્યું કે શો એકદમ ફિટ છે અને તે બીજી ટેસ્ટમાં રમશે. પૃથ્વી શોને […]

Continue Reading

ઈરાનના નાયબ રાષ્ટ્રપતિ પણ કોરોના વાયરસની લપેટમાં આવ્યા, 26ના મોત

ઈરાનના નાયબ રાષ્ટ્રપતિ મૈસુઓમેહ ઈબ્ટેકર કોરોના વાયરસની સપેટમાં આવી ગયા છે. સરકારે ગુરુવારે 24 ક્લાકમાં સંક્રમિત થયેલા 106 લોકોની યાદી જાહેર કરી છે જેમાં નાયબ રાષ્ટ્રપતિ ઈબ્ટેકરનું નામ પણ સામેલ છે. અગાઉ દેશના નાયબ સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના વાયરસના સંક્રમણના શિકાર થયા હતા.  કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે શુક્રવારે નમાઝ માટે પણ લોકોના ભેગા થવા પર […]

Continue Reading