યૂનિટેકે હોમબાયર્સ અને બેન્કોના કરોડો રુપિયા વિદેશોમાં રોક્યા: ઓડિટ રિપોર્ટ

રિયલ એસ્ટેટ કંપની યૂનિટેકે ઘર ખરીદવાના સપના સેવતા લોકોની મહેનતની કમાણી અને બેન્કોના પૈસાનું ગમન કરી વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. બેન્કો અને ઘર ખરીદનારાઓને ચૂનો લગાડવાનું કંપનીનું કૌભાંડ કંપનીની ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું છે. યૂનિટેક લિમિટેડની ફોરેન્સિક ઓડિટમાં આ વાતનો ખુલાસો થયો છે કે હોમ બાયર્સ અને બેન્કો દ્વારા રોકાણ કરવામાં […]

Continue Reading

આતંકવાદીઓને મદદ કરનારા પૂર્વ DSP પર NIAનો સંકજો, UAPA હેઠળ કેસ દાખલ

હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને દિલ્હી સુધી પહોંચાડતા પહેલા જ ઝડપાઇ ગયેલા પૂર્વ DSP દેવેન્દ્રસિંહની પૂછપરછ થઇ રહી છે, પોલીસની વર્દીની આડમાં આ શખ્સ આતંકીઓ સાથે મળી ગયો હતો અને દેશદ્રોહી બની ગયો હતો. આતંકવાદ વિરોધી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હવે UAPA (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેશન એક્ટ)ની ધારા હેઠળ તેની સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દેવેન્દ્રસિહે […]

Continue Reading

સંઘનો આગામી એજન્ડા બે બાળકોનો કાયદો બનાવવોઃ મોહન ભાગવત

હાલમાં બીજેપીની મોદી સરકાર રોજગારી-મોંઘવારી, નાગરિકતા કાયદા સહિત અનેક મોરચે ઘેરાયેલી છે ત્યારે બીજેપીની માતૃસંસ્થા આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે મુરાદાબાદમાં સંઘની એક બેઠકમાં વિવાદ જગાવે એવી જાહેરાત કરી છે કે સંઘનો આગામી એજન્ડા કાશી-મથુરા નહીં પણ ભારતમાં વસ્તી નિયંત્રણ માટે બે બાળકોનો કાયદો લાવવાનો છે! જોકે કાયદો બનાવવાનું કામ સંઘનું નથી, પણ કેન્દ્રમાં તેમની સરકાર […]

Continue Reading

પાકિસ્તાન પરમાણુ ટેકનિકની ચોરી કરતાં ઝડપાયું: અમેરિકાએ પાંચ સામે ગુનો નોંધ્યો

પાકિસ્તાન પરમાણુ ટેકનિકની ચોરી કરતા ફરી એક વખત ઝડપાયું હતું. અમેરિકાએ પાંચ પાકિસ્તાની નાગરિકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાંચેય પાકિસ્તાની મૂળના નાગરિકો ગેરકાયદે ટેકનિક ચોરીને પાકિસ્તાનના પરમાણુ પ્રોગ્રામ માટે મોકલતા હતા. આ ઘટસ્ફોટ અમેરિકાએ કર્યો હતો. પરમાણુ પ્રોગ્રામ ગેરકાયદે રીતે આગળ વધારવા માટે પાકિસ્તાન પરમાણુ ટેકનિકની સ્મગલિંગ કરતું હોવાનું સામે આવ્યું છે. પાંચ પાકિસ્તાની […]

Continue Reading

અફઘાનિસ્તાનનાં ‘ટેણીયાઓએ’ દક્ષિણ આફ્રિકાને ધુળ ચાટતુ કર્યું

આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ૩૦મી ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાનને ૧૩૦ રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકા ટોસ જીતી જયારે બેટીંગમાં ઉતર્યું ત્યારે અફઘાનિસ્તાન તરફથી રમી રહેલા સફીકુલ્લા ઘાફરીએ ૧૫ […]

Continue Reading

નિર્ભયાના માતાનો ગુસ્સો ફાટ્યો જ્વાળામુખીની જેમ, ટોચના વકીલને કહ્યું તું કોણ છે સલાહ આપનારી…

નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દયા અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ […]

Continue Reading

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરૂવારે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો ઉપરાંત પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ મનોજ […]

Continue Reading

નિર્ભયા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત મુકેશની દયા અરજી ફગાવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ સિંહની ફાંસીની સજા બદલ કરેલી દયા અરજીને ફગાવી દીધી છે. મુકેશ સિંહે 14 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન રદ થયા બાદ રાષ્ટ્રપતિ સામે અંતિમ વિકલ્પરૂપે દયા અરજી કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં મુકેશ સહિતના ચાર દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનું ડેથ વોરન્ટ ઈશ્યૂ કર્યું […]

Continue Reading

અમદાવાદ મ્યુનિ. બજેટમાં સામાન્ય નાગરિકો પર રૂ. 244 કરોડના કરવેરા ઝીંકવાની દરખાસ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સને 2020-21ના સામાન્ય બજેટમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સામાન્ય નાગરિકો પર રૂ. 244 કરોડના કરવેરા ઝીંકવાની દરખાસ્ત કરી છે. સાથોસાથ આગામી વર્ષે વિક્રમી રૂ. 5014 કરોડનો ખર્ચ માત્ર વિકાસના કાર્યો પાછળ કરાશે. જેમાં અમદાવાદ શહેરમાં રૂ. 1120 કરોડનાં ખર્ચે 35 નવા ફ્લાયઓવર બ્રીજ, અંડર બ્રીજ તથા રૂ. 500 કરોડના ખર્ચે પાંચ નવા […]

Continue Reading

CAAના વિરોધમાં જામા મસ્જિદ પહોંચ્યા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર

તિહાડ જેલમાંથી છૂટ્યાના ગણતરીના કલાકોમાં જ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ શુક્રવારના રોજ જામા મસ્જિદ પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી. તેમની સાથે સમર્થક અને સ્થાનિક લોકો પણ જામા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. તેમણે નાગરિકતા સુધારણા કાયદાને નાબૂદ કરવાની માગ કરતા કહ્યું કે દેશની એકતાને બનાવી રાખવાનું કામ જેટલું મહત્વનું છે […]

Continue Reading