વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 64 હજારના મોત, અમેરિકામાં 3 લાખથી વધુ લોકોને કોરોના

દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 12 લાખ થઈ ગઈ છે. 64 હજાર 691 લોકોના મોત થયા છે. ત્યાંજ 2 લાખ 46 હજાર દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી 8,400 લોકોના મોત થઈ ગયા છે. અહિંયા સંક્રમણના 3 લાખ થઈ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનું એપિસેન્ટર માનવામાં આવતા ન્યૂયોર્કમાં […]

Continue Reading

કોરોના વાયરસના જંગમાં અમેરિકાએ ભારતનો સહયોગ માંગ્યો, મેલેરિયાની દવા આપવા અનુરોધ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીની સામે જંગ લડવા માટે ભારતને સહયોગ કરવા માટે અનુરોધ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો અમેરિકાના આપવા માટે વિનંતી કરી છે. ભારતે ગત મહિને મેલેરિયાના દર્દીઓની સારવારમાં ઉપયોગી આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. અમેરિકામાં દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકંડો વધી […]

Continue Reading

એર ઈન્ડિયાની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ સુધી બંધ

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે  ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની સકંજામાં સાંપડી લીધી છે. કોરોના વાયરસના વધતા જતા પગપેસારાને અટકાવવા માટે મોદી સરકારે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આદેશ આપ્યો હતો, જે 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. અત્યારે દેશમાં ચારેય તરફ એક જ ચર્ચા થઈ રહી છે કે લોકડાઉન 14 એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ […]

Continue Reading

સ્પેનમાં સતત બીજા દિવસે 900થી વધારે કોરોનાગ્રસ્તોના મોત

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 900થી વધારે લોકોના મોત નિપજ્યા છે. દેશમાં આવું સતત બીજી વખત થયું છે જ્યારે સંક્રમણના કારણે એક જ દિવસમાં 900થી વધારે લોકોના મોત નિપજ્યા હોય. સરકાર તરફથી શુક્રવારના રોજ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઈટાલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત નિપજ્યા છે. સ્પેનમાં છેલ્લા 24 […]

Continue Reading

તબલીગી જમાતે 14 રાજ્યોમાં ફેલાવ્યો કોરોના, છેલ્લા બે દિવસમાં 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે, 56 લોકોના મોત આ મહામારીથી થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તબલિગી જમાલના સભ્યોને કારણે 14 રાજ્યોાં કોરોનાના 647 નવા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા […]

Continue Reading

મોદીનો નવો મંત્ર : દીવો કરો, કોરોનાને ભગાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે દેશવાસીઓને વીડિયો સંદેશમાં કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ૯ મિનિટ સુધી ઘરની લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવવા અપીલ કરી છે. દેશવાસીઓને તેમના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે લોકડાઉનના શુક્રવારે નવ દિવસ પૂરા થયા છે. તમે જે રીતે ૨૨મી માર્ચે કોરોના […]

Continue Reading

અત્યાર સુધી 3126 કેસ, 94 મોતઃ આજે રાજસ્થાનમાં 17 અને આસામ-ગોવામાં 1-1 દર્દી મળ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

દેશમાં કોરોના વાઈરસના શનિવારે 19 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17 જ્યારે ગોવા અને આસામમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 3126 થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતા. આ પહેલા ગુરુવારે 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  અત્યારે દેશમાં […]

Continue Reading

Coronaના કારણે અશાંત દેશોની સ્થિતિ વધુ બદતર થશે: રાષ્ટ્ર સંઘની શાંતિ જાળવવા અપીલ

રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયોએ આજે જણાવ્યું હતું કે જે દેશો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે ચેતવાની જરૃર છે. આવા દેશોની સ્થિતિ આગામી દિવસોમાં વધારે બદતર થઈ શકે છે. લિબિયા, સિરિયા, યમન જેવા દેશો વર્ષોથી ગૃહયુદ્ધ લડી રહ્યા છે અને અમુક કેસોમાં સરહદી સંઘર્ષ પણ ચાલુ છે. ત્યાં Corona ફેલાવાની શરૃઆત થયા પછી અટકવો મુશ્કેલ થઈ […]

Continue Reading

કોરોના એટલે મૃત્યુ એવું નથી : ભારતમાં અત્યાર સુધી 100 દર્દીઓ સાજા થયા

હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે. અમિત કપૂરે વધુમાં જણાવ્યું છે કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. ૧૪ દિવસ સુધી મારી સારવાર ચાલી હતી. હવે હું ઘરે પરત આવી ગયો છું. હવે હું અન્ય લોેકોને કહેવા […]

Continue Reading

નિઝામુદ્દીન ધર્મ સભામાં ભાગ લેનારા 6 લોકોના કોરોનાથી મોત, 1400 લોકો કાર્યક્રમમાં થયા હતા સામેલ

તેલંગણામાં 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયો છે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15 માર્ચ વચ્ચે તબ્લીગી જમાતની ધાર્મિક સભામાં ભાગ લીધો હતો. એ અધિકૃત જાહેરાત મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારના મરકઝમાં 13 માર્ચથી 15 માર્ચ સુધી એક ધાર્મિક સભામાં ભાગ લેનારા કેટલાક લોકોમાં COVID-19નો ચેપ ફેલાયો […]

Continue Reading