અત્યાર સુધીમાં લગભગ 30 લાખ સંક્રમિત, 2 લાખ મોત: ઈરાનમાં જે જગ્યાએ સંક્રમણ ઘટ્યું છે, ત્યાં મસ્જિદો ખોલવામાં આવશે

વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ રવિવારે કહ્યું કે દેશના જે વિસ્તારમાં સંક્રમણના કેસ ઘટ્યા છે, ત્યાં મસ્જિદો ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અહીં […]

Continue Reading

પ્લાઝમા થેરાપીનો ટ્રાયલ સફળ રહ્યો, દેશમાં થેરાપીથી સ્વસ્થ થનાર પહેલો દર્દી

કોરોના સંક્રમિત વ્યક્તિઓને પ્લાઝમા થેરાપીથી ઠીક કરવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે દિલ્હીના મેક્સ હૉસ્પિટલમાં 4 એપ્રિલથી સારવાર લઇ રહેલા 49 વર્ષીય દર્દી પ્લાઝમા થેરાપી બાદ સ્વસ્થ થઇ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. પ્લાઝમા થેરાપીથી સારવાર લઇને ઠીક થનાર આ દેશનો પ્રથમ દર્દી છે. મેક્સ હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું છે કે દર્દી […]

Continue Reading

લોકડાઉન અંગે નિર્ણય લેવા PM મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ

લોકડાઉનનો બીજો તબક્કો પૂરા થવાના છ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે વડાપ્રધાન મોદી ચોથીવાર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સમાં લોકડાઉન વધારવા વિશે, લોકડાઉન ખતમ કર્યા બાદની યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ દ્વારા […]

Continue Reading

RBIએ મ્યુચ્યુઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમની જાહેરાત કરી

દેશની ટોચની મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેંકલિન ટેંપલટન ઈન્ડિયા દ્વારા 6 ક્રેડિટ સ્કીમ બંધ કરવાને કારણે ઉભા થયેલા સંકટને દૂર કરવા માટે રિઝર્વ બેંકે મ્યુચ્યુઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. આરબીઆઈએ સોમવારે મ્યુચ્યુઅલ ફંડ માટે એક વિશેષ ઋણ યોજનાની જાહેરાત કરી જે અંતર્ગત તેમને 50,000 કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવામાં […]

Continue Reading

કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ ભર્યા હતા. 68 વર્ષીય શેખ એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ […]

Continue Reading

અમદાવાદમાં બહેરામપુરા, શાહપુર, જમાલપુર, ખાડિયા, દરિયાપુર, દાણીલીમડામાં દુકાન નહીં ખૂલે

ગુજરાત સરકારે સતત એક મહિનાના લૉકડાઉનને કારણે બંધ પડેલાં ધંધા રોજગાર ફરી શરૂ કરવા અક્ષય તૃતિયા એટલેકે અખાત્રીજનું શુભ મૂહૂર્ત કાઢ્યું છે. રવિવારથી પોતાના બંધ પડેલા ધંધા રોજગાર વ્યાપારીઓ રવિવારથી શરૂ કરી શકશે, અલબત્ત તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કની શરત મૂકી છે.  મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે રાજ્યમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા […]

Continue Reading

દેશમાં કોરોનાના કેસ 26,000ની નજીક દૈનિક વૃદ્ધિદર 6 ટકાના સૌથી નીચા સ્તરે

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૨૫,૦૦૦ નજીક પહોંચી ગઈ છે. શનિવારે તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં કોરોના પોઝિટિવના નવા કેસો નોંધાયા છે. જોકે, સરકારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના પોઝિટિવ કેસનો દૈનિક વૃદ્ધિદર શનિવારે ૬ ટકાના સૌથી નીચા સ્તરે હતો. જોકે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬થી વધુનાં મોત નીપજ્યાં છે. જેને પગલે કુલ મૃત્યુઆંક […]

Continue Reading

કોરોના કારણે વિશ્વ હવે ચીનનો વિકલ્પ શોધી રહ્યું છે, ભારત પાસે શ્રેષ્ઠ તક : ગડકરી

લોકડાઉનની વચ્ચે ઉદ્યોગ ક્ષેત્રને આશા છે કે, સરકાર તરફથી તેમના માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. એમએસએમઈ ક્ષેત્રની આની ખાસ જરૂર છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, વિશ્વ હવે ચીન સાથે વેપાર કરવા ઈચ્છતું નથી અને તે ભારત માટે એક આશીર્વાદ સમાન છે. જો આનો લાભ ઉઠાવવામાં સફળ થઈએ છીએ તો 5 […]

Continue Reading

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 2 લાખથી વધુ લોકોના મોત, 29 લાખ સંક્રમિત

દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે બે લાખથી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 29 લાખને પાર થઈ ગઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 2,494 લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયા છે.  અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 54 હજાર 265 લોકોના મોત થયા છે અને કોરોનાના કેસોની સંખ્યા 9 લાખને […]

Continue Reading

કોરોના મહામારી: દેશમાં કુલ મૃત્યુઆંક 779, કેસ વધીને 24942 થયા

સ્વાસ્થ મંત્રાલયની તાજેતરની માહિતી મુજબ દેશમાં કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધીને 779 થઇ ગયો છે જ્યારે કુલ કેસનો આંકડો 24942એ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં અન્ય 56 કોરોનાગ્રસ્ત દર્દીઓ દમ તોડ્યો છે જ્યારે 1490 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય દેશભરમાં 18,953 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે કુલ દર્દીઓ પૈકી 5209 લોકો કોરોના સામેની […]

Continue Reading