CAAની વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર

પંજાબની કોંગ્રેસ સરકારે શુક્રવારે વિધાનસભામાં નાગરિકતા સુધારણા કાયદાને રદ્દ કરવાની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. રાજ્ય સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)માં પણ સુધારો કરવાની માગણી કરી છે, જેથી લોકોની વચ્ચે એનપીઆર અને એનઆરસીને લઈને જે ભય છે તે દૂર થાય. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું છે કે, તેમની સરકાર વિભાજનકારી સીએએને લાગુ થવા […]

Continue Reading

બિપિન રાવતના નિવેદનને ઓવૈસીએ ગણાવ્યુ હાસ્યાસ્પદ કહ્યુ, રણનીતિ બનાવવાનુ કામ તમારુ નથી

દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના નિવેદન પર AIMIM(ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ આકરી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘આ તેમનુ (બિપિન રાવત)નુ પહેલુ હાસ્યાસ્પદ નિવેદન નથી. નીતિનો નિર્ણય નાગરિક પ્રશાસન કરે છે, ના કે કોઈ જનરલ. નીતિ કે રાજકારણ પર વાત કરીને તે નાગરિક સંપ્રભુતાની […]

Continue Reading

ઓસ્ટ્રેલિયા સરકારની 12 વર્ષ પહેલાની એક ભૂલ અને કરોડો જાનવર મોતને ભેટ્યા

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ઓલવાઇ રહી છે કારણ કે, છેલ્લા 36 કલાકમાં ઘણી જગ્યાઓ પર વરસાદ ખાબક્યો છે. પરંતુ ગત વર્ષ ડિસેમ્બરમાં લગાલ આ ભયાનક આગ 6 મહિના સુધી સળગતી રહી અને ફેલાતી પણ રહી. આ આગથી લગભગ 25 લોકો અને 1 કરોડ જીવજંતુના માત નિપજ્યા. લગભગ 2500થી વધુ ઘરો આ આગની લપેટમાં આવી […]

Continue Reading

તારીખ પે તારીખ: નિર્ભયાના દોષિતોની ફાંસીની તારીખ ફરીથી ટળી

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના રોજ કોર્ટે ફાંસી આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો પરંતુ હવે ફાંસીની આ તારીખને અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવામાં આવી છે. કોર્ટે જેલ પ્રશાસનના નિયમોનો અહેવાલ આપતા કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી જેના પર રોક લગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી દોષિતોની દયા અરજી […]

Continue Reading

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનને પણ આમંત્રણ આપશે ભારત, વિદેશ મંત્રાલયે કહ્યું- આગળ શું થશે, અત્યારે કહેવું મુશ્કેલ

વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટને લઈ આઠ સભ્ય દેશના વડાઓને આમંત્રણ પાઠવશે. તેમા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે અમે સભ્ય દેશના તમામ વડાઓને આમંત્રણ પાઠવશું. આગળ શું થશે એ તો સમય જ નક્કી કરશે. SCO સમિટ આ […]

Continue Reading

સીનિયર એડવોકેટ હરિશ સાલ્વેની ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક

વરિષ્ઠ એડવોકેટ હરિશ સાલ્વેની ઇન્ગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ માટે ક્વીન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક થઇ છે. તેમના નામની જાહેરાત યૂકેની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા 13 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. તેઓ 16 માર્ચે સત્તાવર રીતે ક્વિન્સ કાઉન્સેલ તરીકે નિમણૂક પામશે. વકાલતના ક્ષેત્રમાં જેમણે ઉચ્ચ કક્ષાની કાર્યક્ષમતા દર્શાવી હોય તેમને આ ટાઇટલ મળે છે. હરિશ સાલ્વેએ તેમનો LLBનો […]

Continue Reading

ગણતંત્ર દિવસ પર હુમલાનું ષડયંત્ર રચી રહેલા જૈશના 5 આતંકવાદીઓની ધરપકડ, બે ગ્રેનેડ હુમલા કરી ચૂક્યા છે

જમ્મૂ-કાશ્મીર પોલીસે ગણતંત્ર દિવસના અવસરે મોટા હુમલાના ષડયંત્રને નાકામ કર્યું છે. પોલીસે ગુરૂવારે જૈશ માડ્યૂલના 5 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટા પ્રમાણમાં ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદીઓ પહેલાથી જ બે ગ્રેનેડ હુમલાને અંજામ આપી ચૂક્યા હતા. તેઓ 26 જાન્યુઆરીના અવસરે હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. […]

Continue Reading

CEO જેફ બેઝોસે 7100 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરીને કોઇ ઉપકાર નથી કર્યો: પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરૂવારે કહ્યું કે એમેઝોનના CEO જેફ બેઝોસે ભારતમાં એક અરબ ડોલર (7100 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરીને કોઇ ઉપકાર નથી કર્યો. ગોયલે ભારતીય વેપારમાં એમેઝોનની ખોટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોઇ કંપની આટલું નુકસાન કેવી રીતે ઉઠાવી શકે છે. ગોયલે રાયસીના ડાયલોગમાં આ ચર્ચા કરી. એમેઝોને […]

Continue Reading

બિહારમાં NRC લાગુ કરવાનો સવાલ જ નથી: નીતીશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીને લઇને મોટું નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે જણાવ્યું છે કે, નાગરિકતા સુધારણા કાયદાને લઇને ચર્ચા થવી જોઇએ અને બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ પેદા થતો નથી. નીતીશ કુમારે સંસદમાં નાગરિકતા સુધારણા કાયદાનું સમર્થન કર્યું હતું. નીતીશ કુમારે જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદા પર ચર્ચા થવી […]

Continue Reading

રૂપાણીના નવા 191 કરોડના વિમાનને પણ મુહૂર્ત નડ્યું : કમૂરતાં ઉતરતાં જ આ તારીખે ભરશે ઉડાન, 2 મહિનાથી ધૂળ ખાય છે

રાજ્ય સરકારે કેનેડાની બોમ્બાર્ડિયર કંપની પાસેથી નવું ચેલેન્જર-650 વિમાન રૂ.191 કરોડમાં ખરીદ્યા બાદ 19 નવેમ્બરના રોજ ગુજસેલ ખાતે આવી પહોંચ્યુ હતું પરંતુ નવા વિમાનને લઇ સોશિયલ મિડિયામાં સરકાર વિરોધી કોમેન્ટો પાસ થઇ હતી. આ દરમિયાન વિધાનસભા સત્ર શરૂ થવાની હોવાથી સરકારે નવા વિમાનને ગુજસેલના હેંગરમાં મૂકી તાળા મારી દીધા હતા. આખરે બે મહિના બાદ નવું […]

Continue Reading