દિલ્હીની જામા મસ્જિદ બહાર જુમ્માની નમાઝ બાદ ફરી વિરોધ પ્રદર્શન, હજારોની સંખ્યામાં દેખાવકારો એકઠા થયા

દિલ્હીના જામા મસ્જિદમાં ફરી એક વખત નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા છે. કરોડોની સંખ્યામાં નમાઝ અદા કરવા આવેલા લોકો CAA વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. દિલ્હીના જોરબાગ વિસ્તારમાં પણ શુક્રવારે CAA વિરુદ્ધ રેલી કાઢવામાં આવી છે, આ રેલી વડાપ્રધાનના આવાસ સુધી જશે. દિલ્હીના જોરબાગ વિસ્તારમાં એક દેખાવકારને ધરપકડમાં લેવાયો છે. દેખાવકારો તરફથી […]

Continue Reading

માઉન્ટ આબુનું તાપમાન -1 થતાં હિલ સ્ટેશન પર લોકો ઠુંઠવાયા, પાણી બરફમાં પરિવર્તિત

બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો છે. અહીં તાપમાન માઈનસ એકથી નીચું ગયું હતું. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર તાપમાન માઈનસમાં જતા લોકો ઠુંઠવાયા હતા. ઘણી જગ્યાએ પાણી પર બરફના થર જામ્યા હતા. લોકોએ બોનફાયર અને ચાની ચુસ્કી લઈને ઠંડીથી બચવા પ્રયાસ કર્યો હતો. લોકો દિવસે પણ ઘરમાં […]

Continue Reading

સમર્થ એપાર્ટમેન્ટમાં આગ, ઈલેક્ટ્રિક રૂમમાં રહેતા નેપાળી પરિવારના બે બાળકના મોત, એપાર્ટમેન્ટવાસીઓ નાસી છૂટ્યા

બિગ બજારની પાછળ આવેલા સમર્થ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. જેમાંથી બાળકી 95 ટકા દાઝી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા […]

Continue Reading

સદીના અંત સુધી ભોજનની અછત 80% સુધી વધશે, સસ્તા ખોરાક ગરીબોમાં કુપોષણ વધારશે: અભ્યાસ

વિશ્વસ્તરે વ્યક્તિ દીઠ પૂરતા ભોજનની અછતને લઇને કરાયેલા અધ્યયનમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ આ સદીના અંત સુધી વિશ્વસ્તરે ભોજનની અછત 80 સુધી વધી જશે. જેની પાઠળનું કારણ વધતી જતી વસ્તીની BMI (બોડી માસ ઇન્ડેક્સ) છે. વધતી જતી વસ્તીમાં લાંબા કદ અને વધારે વજન ધરાવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે, જે મુજબ તેમનો […]

Continue Reading

ડુંગળી હવે લોહીના આંસુ રડાવશે કે શું? ભાવ રૂ. 150 થયો

ડુંગળીના આસમાનને આંબી રહેલા ભાવ પર કોઈ જ અંકુશ ના હોય તેમ હવે ગરીબોની કસ્તુરી 150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. ડુંગળીના ભડકે બળતા ભાવે પહેલા જ લોકોને રડાવ્યા છે ત્યારે હવે લોકોને લોહીના આંસુએ રડવાનો વારો આવી શકે છે. દેશના સ્થાનિક બજારમાં ડુંગળીનો ભાવ 150 પ્રતિ કિલો થયો છે. પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ થઈ રહે […]

Continue Reading

ભારતે વળતો પ્રહાર કરતા પાક સેનાની ચોકીઓ ઉડાવી, ત્રણ-ચાર રેન્જર્સ પણ ઠાર

લાઈન ઓફ કંટ્રોલ પર સીઝ ફાયરનો ભંગ કરવો પાકિસ્તાનને ફરી એક વાર ભારે પડ્યું છે. અવાર-નવાર સીઝફાયરનો ભંગ કરનાર પાકિસ્તાનને આ વખતે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાની ચોકીઓને ઉડાવી દેવાની સાથે-સાથે કેટલાક પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કર્યા છે.  પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા અંધાધૂંધ ગોળીબાર પર ભારતીય સેનાએ જડબાતોડ પ્રહાર કર્યો છે. […]

Continue Reading

સુરતમાં બાળકી પર બળાત્કાર બાદ હત્યાના આરોપીની ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત રાખી

લિંબાયતમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યાના આરોપી અનિલ યાદવની ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત્ રાખી છે. ઘરની નજીકમાં જ રહેતી ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા બદલ 31 જુલાઈના સેશન્સ કોર્ટના જજ પી એસ કાલાની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ ચુકાદાને આરોપી અનિલ યાદવે હાઈકોર્ટમાં પડકારતી અરજી કરી હતી. […]

Continue Reading

NRC-NPR ગરીબો પર ટેક્સ સમાન છે : રાહુલ ગાંધી

નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીની વિરુદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એનપીઆર અને એનઆરસીને ગરીબો પર હુમલો ગણાવતા જણાવ્યું છે કે, આ નાગરિકતા ટેક્સ છે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે. અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાયદો લઇને આવી છે. છત્તીસગઢમાં […]

Continue Reading

બનાસકાંઠા : તીડ આક્રમણગ્રસ્ત વિસ્તારોમાં 45 ટીમ દ્વારા દવા છાંટી નાશ કરાયો

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ-રાડકા સહિતના વિસ્તારોમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યુ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ આ આયોજન તથા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ […]

Continue Reading

રાજ્યમાં ધો.12 પછીની ગુજકેટ 31 માર્ચના રોજ લેવાશે : બોર્ડ

ધોરણ 12 (10+2) વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનીયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ ફાર્મસી અભ્યાક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજિતાય રીતે લેવાતી ગુજકેટ પરીક્ષાની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચના 2020ના રોજ ગુજકેટ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે ગુજકેટની તારીખની જાહેરાત કરવમાં આવી છે. ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ […]

Continue Reading