પ્રાંતિજ: હિંમતનગર થી અમદાવાદ ખાતે દોડાવવામાં આવશે રેલ્વે ટ્રેન

હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અમદાવાદ સુધીનો રેલ્વે ટ્રેક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં આજે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદામંત્રી વી ડી ઝાલા, રણજીતસિંહ રાઠોડ દ્વારા રેલ્વે ની મુસાફરી કરી હતી ત્યારે સાંસદ દિપસિહ રાઠોડ હિંમતનગર થી પ્રાંતિજ સુધી મુસાફરી કરી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ દિપસિહ […]

Continue Reading

સરકારનો મહત્વનો નિર્ણય : ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા 8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં

ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે પહેલાં ધો 8 પાસની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી હતી. જો કે, આજે વાહન વ્યવહાર કમિશન કચેરી દ્વારા જારી કરેલા પરીપત્ર મુજબ હવે ધો-8 પાસની મર્યાદા હટાવી લેવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જારી કરેલા નવા પરિપત્રમાં જણાવ્યું છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના 23 સપ્ટે. […]

Continue Reading

હવે ગામના તલાટી રૂ. 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર આપી શકશે

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રી કાઢી આપશે. આ માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. તમામ પુરાવાઓ સાથે રજુ કરેલ અરજીનો નિકાલ એક દિવસમાં કરવાનો રહેશે. તલાટી કમ-મંત્રીએ કાઢી આપેલ આવકના પ્રમાણપત્રની માન્યતા એક વર્ષની રહેશે. તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે […]

Continue Reading

5થી વધુ ઇ મેમોનો દંડ નથી ભર્યો તો હવે લાયસન્સ અને RC બુક રદ કરી દેવાશે, 1400 લોકોને નોટિસ અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વહિકલ એકટ લાવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમો થોડા અંશે પાળતા થયા છે. જો કે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદીઓએ રૂ. 55 કરોડનો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ નથી ભર્યો. જેમાં 5થી વધુ મેમો મેળવનારા લોકોએ જ 35 કરોડ જેટલો દંડ નથી ભર્યો. જેથી હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે […]

Continue Reading

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી, ધોરણ 12 પાસ પણ 17મી નવેમ્બરે પરીક્ષા આપી શકશે

રાજ્ય સરકારે તેના તાજેતરમાં લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે. પરીક્ષા યોજાવાના 9 દિવસ પહેલા જ પરીક્ષાને રદ્દ કરીને ક્લાર્ક સહિતની ભરતી માટે ગ્રેજ્યુએશનને ફરજીયાત કર્યું હતું. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રાખયો હોવાની જાહેરાત કરી હતી. ઉપરાંત જૂના નિર્ણયને પણ પરત ખેંચ્યો હતો અને પરીક્ષાની તારીખ જાહેર કરીને આગામી 17મી […]

Continue Reading

સગીરાના રહસ્યમય અપહરણના 140 દિવસ બાદ ટ્યુશન ક્લાસ સંચાલક દંપતીની ભાળ મળી, પોલીસ શિરડી દોડી ગઇ

વડોદરા નજીક આવેલા બિલ ગામની ધો-12ની સગીર વિદ્યાર્થિનીનું ટ્યૂશન ક્લાસ સંચાલક દંપતીએ 140 દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં અપહરણ કર્યું હતું. અપહરણકર્તા દંપતિ અને સગીરા શિરડી હોવાની માંજલપુર પોલીસને માહિતી મળી હતી. પોલીસ આજે મોડી રાત સુધીમાં ત્રણેયને લઇ વડોદરા પહોંચશે તેમ જાણવા મળ્યું છે. એક વખત વાત થયા બાદ સગીરાનો ફોન બંધ થયો વડોદરા નજીક […]

Continue Reading

16 લાખ બસ પાસધારકોએ પણ કંડક્ટર પાસેથી ફરજિયાત લેવી પડશે ટિકિટ, એસટી નિગમમાં ઐતિહાસિક નિર્ણય

ગુજરાત એસટી બસના પાસધારકોએ ઝીરો નંબરની ટિકિટ લેવી પડશે. કેમ કે નિગમે કન્સેશનની રકમ નક્કી કરવા સરકારનો નિર્ણય કર્યો છે. રાજ્યના 16 લાખ પાસધારકને ફરજિયાત ટિકિટ આપવા તેમજ પાસનો નંબર મશીનમાં એન્ટ્રી કરવા કંડક્ટરોને આદેશ કર્યો છે. જેથી હવે પાસ ધારકોને બસમાં ફરજિયાત ઝીરો પૈસાની ટિકિટ કંડકટર પાસેથી લેવી પડશે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન […]

Continue Reading

અમદાવાદ / પોલીસે રક્તદાન કરવાની ઝુંબેશ ઉપાડી પરંતુ 50 ટકા મહિલા પોલીસ રક્તદાન ન કરી શકી, કારણ ચોંકાવનારું

પોલીસે હાથ ધરીથેલેસમીયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન ઝુંબેશ ખુદ મહિલા પોલીસ જ ન કરી શકી રક્તદાન 800 પૈકી 436 મહિલા પોલીસમાં જોવા મળી લોહીની ઉણપ થેલેસમિયા ગ્રસ્ત બાળકોની મુસ્કાન જીવિત રાખવા અમદાવાદ પોલીસે રકતદાનનુ અભિયાન શરૂ કર્યુ. 14 જૂન વિશ્વ રકતદાન દિવસથી અમદાવાદ પોલીસ અને રેડ ક્રોસ સોસાયટીએ મુસ્કાન માટે રકતદાન ઝુંબેશ શરૂ કર્યુ. 436 મહિલા […]

Continue Reading

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગારમાં તાત્કાલિક અસરથી વધારો

ગુજરાત સરકારે માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગાર વધારીને દિવાળીની ગિફ્ટ આપી છે. રાજ્ય સરકારે તેમના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વેતનમાં અંદાજે 12,692થી વધુ રૂપિયાનો વધારો કર્યો છે. 16મી ઓક્ટોબરથી આ પગાર લાગૂ થઈ જશે. જેને […]

Continue Reading

Facebook પર બ્રિટનનો યુવક સમજી ફ્રેન્ડશીપ કરી, ગિફ્ટના નામે પરિણીતાએ લાખો ગુમાવ્યાં

ગુરૂકુળ રોડ પરના એક કોમ્પ્લેક્સમાં રહેતી ૪૭ વર્ષીય મહિલાની થલતેજ નજીક દુકાન છે, જેણે સાયબર ક્રાઇમમાં ફેસબુક ફ્રેન્ડ તેમજ તેના બે સાગરીતો વિરુદ્ધમાં સાડા સાત લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ કરી છે. મહિલાનાં લગ્ન ર૦૧૦માં થયાં હતાં, પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાથી કોઇ સારું પાત્ર મળશે તો લગ્ન કરી લેશે તેવી વાત મહિલાએ તેના પતિને કરી […]

Continue Reading