ભૂજમાં 7.7 રીકટર સ્કેલનો ભૂકંપ આવ્યો: 6 જિલ્લાઓમાં કુલ 966 લોકોનું સ્થળાંતર

ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે આજે રાજ્યના છ જિલ્લાઓમાં દેશની સૌથી મોટી રાજ્ય કક્ષાની સફળ ‘‘કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ’’-મોક ડ્રિલ યોજાઇ હતી. જેમાં અંદાજે 222 ઉદ્યોગો તેમજ 25 ઇન્ડસ્ટ્રીઝ મળી કુલ 247 એકમોએ ભાગ લીધો હતો. આ એક્સરસાઇઝ દરમિયાન સંબંધિત જિલ્લાઓમાંથી કુલ 966 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

ગુજરાતમાં વાહનચાલકોને હવે CNG માટે લાંબી લાઇનમાં ઊભા નહિ રહેવું પડે, વધુ 214 સ્ટેશન્સ શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNGનો વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, CNGના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. મુખ્યમંત્રી CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં […]

Continue Reading

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટને કહ્યું ‘ગુનો કબુલ નથી’: વધુ સુનાવણી ૭મી ડિસેમ્બરે યોજાશે

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં તેઓ શુક્રવારે મેટ્રોકોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં. જ્યાં એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.બી. ઇટાલિયાએ તેમને ગુનો કબુલ(પ્લી રેકોર્ડ) હોવાનું પૂછતા રાહુલ ગાંધીએ ગુનો કબુલ ન હોવાનું જણાવી કેસ ચલાવવા કહ્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધી તરફથી કેસની મુદતમાંથી કાયમી હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી કરવામાં આવી […]

Continue Reading

MBBSમાં સીટ વધે તે માટે રાજ્યના ત્રણ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનશે, પ્રથમ વર્ષે 100 બેઠક પર પ્રવેશ મળશે

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં પ્રજાજનોની આરોગ્‍ય સવલતોનો વ્‍યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. તેમાં ગુજરાતના 5 જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને […]

Continue Reading

અમદાવાદના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા 16 ઓક્ટોબરથી કેમ્પનું આયોજન

શહેરના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવનજરૂરિયાતની સાધનસામગ્રી પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્રએ આયોજન કર્યું છે. જરૂરતમંદ દિવ્યાંગોને તારીખ 16થી 22 ઓક્ટોબર સુધી સાધનો આપવા કેમ્પનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત 60થી વધુ વર્ષના બીપીએલ લાભાર્થીઓને પણ સહાયનો લાભ મળશે. જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે, શહેરના જરૂરિયાતમંદ દિવ્યાંગોને જીવન-સહાયક સાધનો આપવા […]

Continue Reading

ગુજરાતમાં 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું, 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે, હાલ ડબલ સિઝન

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં વર્ષ 1961 બાદ એટલે કે 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે 45.60 ઇંચ સાથે સિઝનનો 142 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 ઓક્ટોબરથી રાજ્યમાંથી પણ ચોમાસાની વિદાયનો તબક્કાવાર પ્રારંભ થઈ ગયો […]

Continue Reading

દિવાળીમાં આવક વધારવા એસટી તંત્ર સજજ, 1,000 એકસ્ટ્રા ટ્રીપો દોડાવશે

નવલા નોરતા બાદ હવે દિવાળીનો તહેવાર આવી રહયો છે ત્યારે દિવાળીમાં આવક વધારવા માટે એસટી વિભાગે એકસ્ટ્રા ટ્રીપોના સંચાલનની તૈયારીઓ કરી દીધી છે. સુરત ડીવીઝન ગુજરાત તથા અન્ય રાજયોમાં જવા માટે 1,000થી વધારે એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવા જઇ રહી છે. દિવાળી વેકેશન માટે એસટી નિગમનું સુરત ડીવીઝન 1000 કરતા પણ વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. અને […]

Continue Reading

ત્રણ કલાકની જહેમત બાદ આજી GIDCની આગ પર કાબૂ મેળવાયો, ચીફ ફાયર ઓફિસર, 4 જવાન સહિત 7 દાઝ્યા

આજી GIDCમાં આવેલી નેપ્થા કેમિકલની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને ફાયરબ્રિગેડે આખરે ત્રણ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી છે. ગુરુવારે બપોરે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં શૈલેષ […]

Continue Reading

ગહેલોત… રાજસ્થાનમાં દારૂબંધી કરીને બતાવેઃ રુપાણી, એક યુવક અચાનક સ્ટેજ સુધી પહોંચી ગયો અને…

રાજકોટમાં વિજય રુપાણીના આજે ઘણા કાર્યક્રમોને પગલે પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતને પણ આડે હાથે લીધા હતા. બાબત એ છે કે અશોક ગહેલોતે ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે તેવું નિવેદન આપ્યું હતું. જે પછી વિજય રુપાણી, જીતુ વાઘાણી અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા આ નિવેદન […]

Continue Reading

45 મિનિટ સુધી 108 એમ્બ્યુલન્સ ન આવતાં CMના માસિયાઈ ભાઈનું મૃત્યુ

લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108ની સેવાની બેદરકારીના કારણે મુખ્યમંત્રીના માસીના દીકરાનું મૃત્યુ થયું છે. ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો, પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા […]

Continue Reading