બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગ નામંજૂર, સરકારે SITની રચના કરી

ગુજરાત મુખ્ય સમાચાર

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સિંહ જાડેજા પણ ઉપસ્થિત હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પરીક્ષાર્થીઓની મહેનત અળે જશે નહીં. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલું છે.

સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ હવે પરીક્ષાર્થીઓનું આંદોલન કેવી દિશામાં આગળ વધશે એ તો થોડીવારમાં જ ખુલાસો થઈ જશે પણ પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓને એસઆઈટી રચવાની કરેલી માગને સરકારે સ્વીકારી લીધી છે. આ સાથે પ્રદિપસિંહે એસઆઇટીની રચનામાં કોણ કોણ હશે તેની પણ માહિતી આપી કે આ એસઆઇટીના અધ્યક્ષ કમલ દાયાણી હશે.

જ્યારે આ પરીક્ષાને લઇને પ્રદિપસિંહે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ પરિક્ષાનું પરિણામ અનામત રખાશે. એસઆઈટી મામલે પરીક્ષાર્થીઓમાં પણ બે ફાંટાઓ પડી ગયા છે. કેટલાક ઉમેદવારો હજુ પણ પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે.


બિન સચિવાલય પરીક્ષાના મામલે સરકારની પ્રેસ કોન્ફરન્સ

– સરકારે પરીક્ષાર્થીઓની રજૂઆતોને સ્વીકારી

– સાચા લોકોને અન્યાય ન થાય તે જોવું જરૂરી

– શાંતિ, સંયમ અને ધીરજ રાખી આંદોલન કર્યું છે તે અભિનંદનને પાત્ર છે

– પરીક્ષાર્થીઓ અને પોલીસ વચ્ચે ફાટફૂટ પડાવવાના પણ પ્રયાસ કરાયા છે

– ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસની પ્રસંશા કરી

– પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે.

– 5 વર્ષમાં 1.02 લાખ લોકોની ભરતી કરાઈ છે.

– પરીક્ષાર્થીઓની મહેનત બેકાર નહીં જાય

– મુખ્યમંત્રીએ આ માટે સીટની રચના કરાઈ છે. જેમાં રાજયના અગ્ર સચિવ કમલ દાયાનીને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.

–  આ એસઆઈટીમાં મનોજ શશીધરન, મયંકસિંહ ચાવડા અને જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

– પરીક્ષા રદ નહીં નહીં થાય

– 10 દિવસની અંદર અહેવાલ સુપરત કરવામાં આવશે.

– એસઆઈટીને જરૂર લાગશે તો ગૃહવિભાગ મદદ કરશે

– એસઆઈટીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી રિઝલ્ટ જાહેર નહીં થાય

– શુક્રવારે પરીક્ષાર્થી આગેવાન અને સરકાર વચ્ચે બેઠક થશે


અમે પરીક્ષાર્થીઓને વિશ્વાસમાં રાખીને નિર્ણય લીધો: યુવરાજ સિંહ

– અમારી માંગ સરકારે પુરી કરી

– તાત્કાલીક નિર્ણય નથી આવતો

– અમારો પક્ષ રજૂ કરવા માટે પ્લેટફોર્મ જોઇતુ હતું

– પરીક્ષા રદ કરવાની એક પ્રક્રિયા હોય છે