રાહુલ ગાંધી જ નરેન્દ્ર મોદીનો એકમાત્ર વિકલ્પઃ ગેહલોત

મુખ્ય સમાચાર રાજકીય

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે, કાેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારને ભૂલી જવી જોઈએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષની પાસે રાહુલ ગાંધી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, એ કહેવું ખોટું હશે કે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. રાહુલ ગાંધી વિકલ્પ છે. તેમણે કહ્યું કે ,લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન છતાં રાહુલ ગાંધીએ મોરચો સંભાળવો પડશે, કેમકે તે જ પીએમ મોદીના એકમાત્ર વિકલ્પ છે. ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધી વિપક્ષના એકમાત્ર નેતા છે, જે સાહસ અને નિડરતા સાથે મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો મુકાબલો કરી શકે છે. કાેંગ્રેસના આ સીનિયર નેતાએ ગાંધી પરિવારને 134 વર્ષ જૂની પાર્ટી માટે સેતુ જણાવ્યો એ આરોપ ફગાવી દીધો કે, તે વંશવાદનું રાજકારણ કરે છે. ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી અભિયાન દરમિયાન ખેડૂતો, યુવાનો, રોજગાર અને અર્થવ્યવસ્થા સંબંધિત મુખ્ય મુદ્દાને ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં હાર છતાં રાહુલ ગાંધીએ મોરચો સંભાળવો પડશે.
ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઆે માટે એટલી મહેનત કરી હતી કે લોકોને લાગ્યું કે, ભાજપ હારી જશે. પરંતુ, મોદીએ ભાવુક અભિયાન ચલાવ્યું. મણિશંકર અèયરની ટિપ્પણીનો ફાયદો ઉઠાવ્યો. તે ચૂંટણી જીતવા માટે કંઈપણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ કાેંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.