વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ સોશિયલ મીડિયા છોડવાના સંકેત આપ્યા હતા. પરંતુ હવે મંગળવારના રોજ ટ્વીટ કરીને મોદીએ પોતે કરેલા ટ્વીટ પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે સોમવારના રોજ ટ્વીટ કરીને સંકેત આપ્યા હતા કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બંધ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વીટથી અનેક અટકળો વહેતી થઈ હતી. કેટલાક લોકોએ પીએમ મોદીને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ નહીં છોડવા અપીલ પણ કરી હતી. જો કે આખરે તેમણે 16 કલાક બાદ આ મુદ્દે સસ્પેન્સનો અંત લાવી દીધો હતો.

