શહીદ પરિવારને સરકાર માંથી મળતી આર્થિક સહાય માટે કોઈ મદદ ન કરતા શહીદ જવાનના પરિવારજનોમાં રોષ

ગુજરાત મુખ્ય સમાચાર

પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી અને બાદમાં ભારતે મોટા પ્રમાણમાં સૈન્ય સરહદ પર તૈનાત કરી દેવાયું હતું. આતંકીઓને ભારતમાં ઘૂસતા અટકાવવા અને આતંકી હુમલો ખારવા સૈન્ય સજ્જ બન્યું હતું, ત્યારે આર્મીમાં ફરજ બજાવતા અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના ખુશાલસિંહ ઠાકોરનું લેહમાં ફરજ દરમિયાન હિમશીલા ધસી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન જિંદગીનો જંગ હારી જતા ભારે ગમગીની છવાઈ હતી.

શહીદ જવાનનો પાર્થિવદેહ વતનમાં લાવતા રાજકીય અગ્રણીઓ અને જીલ્લા કલેક્ટર, પોલીસવડા સહીત અધિકારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી, ત્યાર બાદ કોઈપણ રાજકીય અગ્રણીએ કે જીલ્લા વહીવટી તંત્રએ શહીદ પરિવારને સરકાર માંથી મળતી આર્થિક સહાય માટે કોઈ મદદ ન કરતા શહીદ જવાનના પત્ની અને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.