ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીની સામે આવતીકાલ તા.૨૩મી માર્ચે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ૮૮મી શહીદદિનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. મહત્વની વાત એ કે દરવર્ષે આ પ્રકારે ભારતના આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે યુનિવર્સિટીએ ઇલેક્શનના બહાના હેઠળ આ કાર્યક્રમ યોજવા મનાઇ ફરમાવી દીધી છે. જોકે, આમ છતાં આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી મક્કમતા દર્શાવવામાં આવતાં યુનિવર્સિટી સત્તાધીશોએ જે ગાર્ડનમાં આ કાર્યક્રમ યોજવાનો હતો ત્યાં પાણી ભરી દીધું હોવાની વિગતો બહાર આવી છે.

