બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાઝદા સ્ફોટક નિવેદન

ફિલ્મ જગત

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને સિનિયર અભિનેત્રી સોની રાઝદાને પોતાની આવાનારી ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેત્રીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોની રાઝદાને કહ્યું છે કે, ક્યારેક ક્યારેક મને લાગે છે કે મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ.

વાતચીત દરમિયાન સોનીએ કહ્યું હતું કે,, હું જ્યારે પણ કાશ્મીરને લઈને બોલુ છું તો હું ટ્રોલર્સના નિશાને આવી જાવ છું. જો હું પાકિસ્તાન અને કાશ્મીરને લઈને વાત કરૂ તો મને દેશ વિરોધી કહેવામાં આવે છે. મને લોકો દેશદ્દ્રોહી કહે છે. લોકો મને પાકિસ્તાન મોકલવાનું શરૂ કરી દે છે. મને લાગે છે કે કાશ્મીર અને પાકિસ્તાનનું કલ્ચર બેલેંસ ખતમ થઈ ગયું છે.

સોનીએ એમ પણ કહ્યું હતું કે, હું જાણું છું કે, જ્યારે પણ કોઈ દેશની બુરાઈ કરે છે તો લોકો તેને સૌથી પહેલા દેશદ્રોહી કહે છે. મને પણ કહેવામાં આવે છે. અમને અમારા દેશ પ્રત્યે પ્રેમ છે, માટે અમે તેની ટીકા પણ કરતા રહીશું. દેશના ગ્રોથ માટે સારા સાથે ખરાબ પણ કહેવું જરૂરી છે.