ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને નેતાઓ પર ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગનો આરોપ છે.

ચૂંટણી પંચ તરફથી માયાવતી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લગાવેલા પ્રચાર પ્રતિબંધ મુજબ માયાવતી હવે 48 કલાક અને યોગી આદિત્યનાથ 72 કલાક સુધી ચૂંટણી પ્રતિબંધ કરી શકશે નહીં. બંને પર આ પ્રતિબંધ આવતી કાલથી એટલે કે મંગળવારે (16 એપ્રિલ) સવારે 6 વાગ્યાથી લાગુ થશે.