આઈપીએલમાં ધબકારા વધારી દેનાર મેચ જોવા મળ્યો. ફાઈનલના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની જીત એવી રહી કે તેના પર વિશ્વાસ કરવો એક સમયે મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈએ ત્રણ વાર ચેમ્પિયન રહી ચૂકેલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવી. આખરી ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રન જોઈતા હતા, પરંતુ લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરતાં ટીમને જીત અપાવી દીધી. પરંતુ આ આખરી ઓવરે મુંબઈનું ટેન્શન ભારે વધારી દીધું હતું. આ ઓવરે લઈ કેપ્ટન રોહિત શર્મા એક મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા. જો તે ભૂલ થઈ જાત તો કદાચ ટ્રોફી હાથમાંથી નીકળી ગઈ હોત.
મેચ બાદ રોહિતે નિવેદન આપતા સ્પષ્ટ કર્યું કે તે આખરી ઓવર મલિંગાને આપવા નહોતા માંગતા. પરંતુ તેમનો અનુભવ જોઈ આખરે ફેસલો લેવામાં આવ્યો. રોહિતે કહ્યું કે મલિંગા એક ચેમ્પિયન છે, તે અમારા માટે કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે. હું અંતિમ ઓવર માટે હાર્દિક પંડ્યા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું એવા વ્યક્તિને પરત કરવા માંગતો હતો જે અમારા માટે પહેલા પણ આવી સ્થિતિમાં રહ્યો હોય અને મલિંગા કેટલીય વખત ત્યાં ગયો છે. જણાવી દઈએ કે મલિંગા અંતિમ ઓવર ફેકતા પહેલા 3 ઓવરમાં 42 રન આપી ચૂક્યો હતો. જ્યારે પંડ્યાએ 1 ઓવર ફેંકી હતી જેમાં માત્ર 3 રન જ આપ્યા હતા.

