સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આતંકી ઘૂસણખોરીના ભયથી ગુજરાત પોલીસને એલર્ટ કરી દીધી છે. ગુપ્તચર અહેવાલ મુજબ આતંકવાદીઓ ભારત-પાકિસ્તાન સરહદમાં કચ્છ દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ સરહદી વિસ્તારોમાં મેરીટાઇમ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી પોલીસને તૈનાત કરવામાં આવી છે. પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે કહ્યું છે કે ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
રાઠોડે જણાવ્યું હતું કે, ‘કોઈ ઘુસણખોરી ન થાય તે માટે અમે જરૂરી પગલાં લીધાં છે. સરહદી વિસ્તારો પર વધુ દરિયાઇ અને સરહદ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ વાહન, બોટ અથવા વ્યક્તિ જોવામાં આવે તો અમને જાણ કરવા સીમાના રહેવાસીઓ અને માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

