બંગાળમાં નહી લાગુ થાય નવો મોટર વ્હીકલ એક્ટ: મમતા બેનરજી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી અને બીજેપી વચ્ચે થયેલા રાજકીય વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે લાગુ કરેલો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગૂ નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મમતા બેનરજીએ નવા ટ્રાફિક નિયમનો વિરોધ કરતા તેને રાજ્યમાં લાગૂ નહી કરવા કેન્દ્ર સરકારને પડકારી છે. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારનો આ નિયમ લોકો પર બોજા સમાન છે.

મમતા બેનર્જીએ કહ્યું કે અમે હાલમાં પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારના આ મોટર વાહન નિયમનો અમલ કરી શકતા નથી. કારણ કે જો આપણે તેનો અમલ કરીએ તો લોકો પરનો બોજ વધશે. અમે લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે યોગ્ય રીતે વાહન ચલાવવું અને તેમનો જીવ બચાવો. આને કારણે અકસ્માતો મોટા પ્રમાણમાં અટક્યા છે. મમતાએ કહ્યું કે અમે સંસદમાં પણ તેનો વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય કે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોમાં ફેરફારો કરી દેશભરમાં લાગૂ કરાયો હતો, પરંતુ ભારે દંડની જોગવાઇને કારણે દેશના અનેક ભાગોમાં તેનો વિરોધ થયો હતો. તાજેતરમાં ગુજરાતમાં પણ સીએમ રુપાણીએ કેન્દ્રના નવા ટ્રાફિક નિયમમાં ફેરફાર કરી ગુજરાતની પ્રજાને આશિંક રાહત આપી હતી.