મારા અધિકારીઓએ કંઈ જ ખોટું નથી કર્યું તેથી તેમની ધરપકડ ન કરશો: ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં દોષીત કરાર આપ્યા બાદ ધરપકડ કરાયેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે કહ્યું કે આ કેસમાં અન્ય એક પણ અધિકારીઓની ધરપકડ ન થવી જોઈએ કારણ કે તે લોકોએ કંઈ જ ખોટું કામ નથી કર્યું. ચિદમ્બરમ તરફથી તેમના પરિવારજનોએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ પોસ્ટ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે […]

Continue Reading

દક્ષિણ ભારતમાં આતંકી હુમલાનું એલર્ટ, સેનાએ આપી જાણકારી

ભારતીય સેનાને સુચના મળી છે કે, દક્ષિણ ભારતમાં આતંકી હુમલો થઈ શકે છે. સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એસ.કે.સેનીએ કહ્યું છે કે, અમને જાણકારી મળી છે કે, ભારતના દક્ષિણ ભાગમાં આતંકી હુમલો થઈ શકે છે. સર ક્રિકથી કેટલીક બિનવારસી બોટ મળી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, અમે તે સુનિશ્ચિત કરવા માટે સાવધાની […]

Continue Reading

રૂ. 1.25 લાખ કરોડના ટર્નઓવરવાળા ગુજરાતના સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગમાં 50 યુનિટ બંધ, 10,000થી વધુની રોજગારી છીનવાઈ

ઓટોમોબાઇલ, રિઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહીત સ્ટીલનો વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં આવેલી મંદીના પગલે ગુજરાતનો સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગત વર્ષની તુલનામાં માગ 30-35% ઘટી જવાના કારણે આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું ઉત્પાદન પણ 60% જેટલું ઘટાડી નાખ્યું છે. ઉદ્યોગોના જાણકારોના મતે મંદીના કારણે 50 યુનિટ્સ પહેલા જ બંધ થઇ ચુક્યા છે અને જો આ […]

Continue Reading

અફઘાનિસ્તાને એકમાત્ર ટેસ્ટમાં બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, કેપ્ટન રાશિદ ખાને મેચમાં 11 વિકેટ ઝડપી

અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ 224 રને જીતી હતી. આ અફઘાન ટીમની વિદેશમાં પ્રથમ જીત છે. અગાઉ 2 ટેસ્ટ રમેલ અફઘાનિસ્તાન ભારત સામે હાર્યું અને આયર્લેન્ડ સામે જીત્યું હતું. આયર્લેન્ડ સામે તેણે તટસ્થ જગ્યાએ જીત મેળવી હતી. 398 રનનો પીછો કરતા બાંગ્લાદેશ બીજા દાવમાં 173 રનમાં ઓલઆઉટ થયું હતું. બીજા દાવમાં 6 અને મેચમાં 11 […]

Continue Reading

વૈશ્વિક બજારો પાછળ સોના- ચાંદીમાં રેકોર્ડ અફડાતફડી

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે વ્યાપક અફડાતફડી ભાવમાં જોવા મળી હતી. સોના- ચાંદીના ભાવ શુક્રવારે બપોર પછી ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયા પછી શુક્રવારે મોડી સાંજે ભાવ ફરી ઉછળ્યા હતા પરંતુ આ ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ સપ્તાહના અંતે ફરી નીચા આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારના […]

Continue Reading

છટણી / Zomatoએ 541 કર્મચારીઓને નિકાળ્યા

કંપનીએ કહ્યું ટેકનીકના ઉપયોગથી ગ્રાહકોની સમસ્યાઓનું સમાધાન સીધુ ઑટોમેશનથી થઇ રહ્યું છે. Zomatoએ નોકરીમાંથી નિકાળવામાં આવેલા કર્મચારીઓને 2 મહિનાનું વધારેનું વેતન આપ્યું. ઑનલાઇન ફૂડ ડિલીવરી કરનાર કંપની Zomatoને લઇને એક મીડિયા રિપોર્ટથી શનિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાના ગ્રાહક સેવા ટીમના 540 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સંખ્યા કંપનીના કુલ કર્મચારીના […]

Continue Reading

સુરત : હીરાઉદ્યોગમાં હજારો બેકાર, હજારોની નોકરી જવાની શક્યતા

એક નાનકડી શેરીથી પસાર થયા બાદ, નાની સીડીઓ ચઢીને હું એક નાનકડા રૂમમાં પહોંચ્યો જેમાં 20થી વધુ લોકો બેઠા હતા અને 19 વર્ષના યુવાન ભાવેશ સોલંકીના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા. આર્થિક તંગીથી કંટાળેલા પરિવારના આધાર સમાન ભાવેશ, હજી ગયા અઠવાડીયા સુધી પોતાના પિતા રમેશ સોલંકીને હિંમત રાખવાનું કહી રહ્યા હતા. જોકે, હકીકત એ હતી કે, […]

Continue Reading

આજે ઊંઝાના ઉમિયા બાગમાં ‘ભવ્ય ઉછામણી’ કાર્યક્રમ થશે

કરોડો પાટીદારોના તીર્થસ્થાન ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે. જે નિમિત્તે ૮ સપ્ટેમ્બરે ‘ભવ્ય ઉછામણી’નો કાર્યક્રમ ઉમિયાબાગ, ઉમિયા સર્કલ, ઊંઝા ખાતે યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાંથી કડવા પાટીદાર સમાજના દાનેશ્વરીઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનો સહિત ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ભાગ લેશે. જ્યારે મોટી સંખ્યામાં NRI દાનવીરો વિદેશથી આવશે. આ પ્રસંગે ઊર્જામંત્રી […]

Continue Reading

કેનેડાની 19 વર્ષીય બિયાંકા એન્દ્રેસ્કૂએ સેરેનાને હરાવીને US ઓપન ટાઇટલ જીત્યું

કેનેડાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી બિયાંકા એન્દ્રેસ્કૂએ યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. એન્દ્રેસ્કૂએ યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-7, 7-5થી સીધા સેટમાં હરાવીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું છે. હારની સાથે જ સેરેનાનું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે. કેનેડાની 19 વર્ષીય ખેલાડી બિયાંકા એન્દ્રેસ્કૂએ અત્યંત કપરી […]

Continue Reading

હંમેશા મોંઘા વકીલ રહ્યા જેઠમલાણી, એક કેસની લેતા આટલી ફી

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. વકાલતની લગભગ 70 વર્ષની પોતાની કારકિર્દીમાં તેમણે કેટલાય મોટા કેસ લડ્યા. ઈન્દિરા ગાંધીના હત્યારાથી લઈને અફઝલ ગુરૂના કેસમાં પણ જેઠમલાણીએ જ પેરવી કરી હતી. જાણો કેમ તેમને દેશના મોંઘા વકીલ કહેવામાં આવતા હતા આપને જાણીને કદાચ નવાઈ લાગશે […]

Continue Reading