રાજ્યમાં 73 પોઝિટિવ કેસ, કુલ 6 દર્દીના મોત, ત્રણ સાજા થયેલા કોરોનાના દર્દીઓની ઉમર 55-60 વર્ષનીઃ જયંતિ રવિ

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે  અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી […]

Continue Reading

વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા, ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવા સૂચના

કોરોના વાઈરસની મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે. 3 દિવસમાં 28 સેમ્પલ નેગેટિવ આવ્યા વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસમાં 28 સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલના […]

Continue Reading

કોરોના એટલે મૃત્યુ એવું નથી : ભારતમાં અત્યાર સુધી 100 દર્દીઓ સાજા થયા

હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે. અમિત કપૂરે વધુમાં જણાવ્યું છે કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. ૧૪ દિવસ સુધી મારી સારવાર ચાલી હતી. હવે હું ઘરે પરત આવી ગયો છું. હવે હું અન્ય લોેકોને કહેવા […]

Continue Reading

નિઝામુદ્દીન ધર્મ સભામાં ભાગ લેનારા 6 લોકોના કોરોનાથી મોત, 1400 લોકો કાર્યક્રમમાં થયા હતા સામેલ

તેલંગણામાં 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયો છે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15 માર્ચ વચ્ચે તબ્લીગી જમાતની ધાર્મિક સભામાં ભાગ લીધો હતો. એ અધિકૃત જાહેરાત મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારના મરકઝમાં 13 માર્ચથી 15 માર્ચ સુધી એક ધાર્મિક સભામાં ભાગ લેનારા કેટલાક લોકોમાં COVID-19નો ચેપ ફેલાયો […]

Continue Reading

કોરોનાની લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પીએમ કેરમાં રૂ. 500 કરોડનું અનુમોદન

કોરોના વાયરસ સામેની લડાઈમાં નાણાંકીય સહાય આપવાની વડાપ્રધાનની અપીલને પગલે મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે PM CARES ફંડમાં રૂ. 500 કરોડના અનુમોદનની જાહેરાત કરી છે. અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની સૌપ્રથમ કોરોના વાયરસ માટેની સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી તેમજ કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલા વાહનો માટે ઈંધણ આપવાની પણ જાહેરાત કરી […]

Continue Reading

તો અમદાવાદની 17 મોટી હોસ્ટેલ, મોટેરા સ્ટેડિયમને જ હોસ્પિટલમાં ફેરવી દેવાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા સાથે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વિદેશ પ્રવાસ કરનારાઓની સાથોસાથ હવે એમના સીધા સ્પર્શ અને સંપર્કમાં આવનારાઓના ક્લસ્ટર સાથે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કેટલાક કિસ્સામાં કમ્યુનિટી સ્પ્રેડના કિસ્સા વધી રહ્યા છે એવા સંજોગોમાં હજુ ગામડાંમાં પહોંચેલા લોકોમાં કેટલો ચેપ પ્રસર્યો છે એનો અંદાજો લગાવી શકાય એમ નથી, […]

Continue Reading

વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત : યુએસમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા ૩૩,૦૦૦ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં ૧૮૩ દેશોમાં ૬,૯૧,૪૯૪ લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨,૨૩૭થી વધુ થઈ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા […]

Continue Reading

ટ્રમ્પે કહ્યું- 2 સપ્તાહમાં સંક્રમણથી મોતનો આંકડો ચરમ સીમાએ પહોંચી શકે છે; વ્હાઈટહાઉસે 2 લાખ લોકો સંક્રમતિ હોવાનું અનુમાન કર્યું

અમેરિકામાં કોરોનાવાઈરસના પગલે સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 518 લોકોના મોત થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વ્હાઈટ હાઉસમાં બ્રીફિંગ દરમિયાન કહ્યું કે અગામી સપ્તાહમાં મોતોનો આંકડો મોટા પ્રમાણમાં વધશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની તારીખ પણ 30 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. ટ્રમ્પ મંગળવારે કોરોનાને લઈને સરકારની યોજનાઓ-રણનીતી જાણાવી શકે છે અને કેટલીક […]

Continue Reading

કેન્દ્રીય ગૃહ સચિવે લોકડાઉન 90 દિવસ સુધી વધારવાના સમાચારોનું ખંડન કર્યુ, કહ્યું- હાલ 14 એપ્રિલથી આગળ વધારવાની યોજના નથી

કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સતિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનને 14 એપ્રિલથી વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા કેન્દ્રએ રવિવારે તમામ રાજ્યો અને […]

Continue Reading

મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી, કોરોનાના કહેર વચ્ચે ઉમેદવારોની ભારે ભીડ જામી

રાજ્યમાં કોરોનાના 69 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 23 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ત્રણના મોત થઈ ગયા છે. હાલની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા 354 મેડિકલ અને 354 પેરા મેડિકલની કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી […]

Continue Reading