મોદી સરકાર બનશે તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવીશું : અમિત શાહ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે ફરી એકવખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવાની છે. તેમણે કહ્યું હતું કે દેશના કોઈપણ વિસ્તારમાં જાવ દરેક સ્થાને મોદી-મોદીના નારા લાગે છે. અમિત શાહે શિમલાના નાહનમાં રેલીને સંબોધિત કરતા કરતા કહ્યું હતું કે દેશમાં ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનવી નક્કી છે. દેશ ફક્ત નરેન્દ્ર મોદીના હાથમાં […]

Continue Reading

પાકિસ્તાનને મદદ કરવાના પૈસાથી હવે અમેરિકા બનાવશે મેક્સિકો પર દિવાલ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અમેરિકા તરફથી મળતી આર્થિક મદદ રોક્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે, અમેરિકા આ રકમનો ઉપયોગ મેક્સિકો સીમા પર બનાવવામાં આવી રહેલી દિવાલના નિર્માણમાં ખર્ચ કરશે. અમેરિકી કાર્યવાહક રક્ષા મંત્રી પેટ્રિક શાનાહને જણાવ્યું કે, તેમનો દેશ અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાલ નિર્માણમાં દોઢ અબજ ડોલર ખર્ચ કરી રહ્યો છે. પેટ્રિકે જણાવ્યું કે, […]

Continue Reading

મહેસાણા: મોઢેરા સૂર્યમંદિરમાં સાધકોએ કર્યા ૧૦૮ વખત સૂર્યનમસ્કાર ..!

સુર્યદેવના ૧૨ નામોના મંત્રોચ્ચાર સહિત પ્રત્યેક નામ મંત્ર સાથે ૧૨ આસન કરવામાં આવ્યા. મહેસાણાના જગવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે વહેલી સવારે સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્ય નમસ્કારનું આયોજન વડોદરાના યોગ નિકેતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં ૧૦૮ સાધકો એક સાથે વહેલી સવારે ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કર્યા હતા. સુર્યદેવના ૧૨ નામોના મંત્રોચ્ચાર સહિત […]

Continue Reading

પાકિસ્તાન : ગ્વાદરમાં હોટલ પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર માર્યા

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર શહેરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ ‘પર્લ કૉન્ટિનેન્ટલ’ પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર મારવામાં આવ્યા છે. ત્રણ બંદૂકધારીઓ દ્વારા કરાયેલા હુમલામાં એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થયું છે. હોટલના એક પ્રવક્તા પ્રમાણે રમઝાન અને રજાઓ વચ્ચે હોટલમાં કોઈ મહેમાન નહોતા અને સ્ટાફ પણ ઓછો હતો. જોકે આ અગાઉ સમાચાર મળ્યા હતા કે મહેમાનોને સુરક્ષિત રીતે […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019: છઠ્ઠા તબક્કામાં કુલ મતદાન 63.43% નોંધાયું

6ઠ્ઠા તબક્કાનું કુલ મતદાન પ.બંગાળ- 80.35% દિલ્હી- 59.74% હરિયાણા- 68.17% ઉત્તરપ્રદેશ- 54.72% બિહાર- 59.29% ઝારખંડ- 64.50% મધ્યપ્રદેશ- 64.55% 8 વાગ્યા સુધીનું મતદાન પ.બંગાળ- 80.16% દિલ્હી- 58.01% હરિયાણા- 65.48% ઉત્તરપ્રદેશ- 54.24% બિહાર- 59.29% ઝારખંડ- 64.50% મધ્યપ્રદેશ- 62.06% 7 વાગ્યા સુધીનું મતદાન પ.બંગાળ- 80.16% દિલ્હી- 56.11% હરિયાણા- 62.91% ઉત્તરપ્રદેશ- 53.37% બિહાર- 59.29% ઝારખંડ- 64.46% મધ્યપ્રદેશ- 60.40% 6 […]

Continue Reading

જૂનાગઢ સ્વામિ. મંદિર ચૂંટણી બાદ પોલીસનો મીડિયા પર હુમલો

વડતાલ તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સત્તાધારી આચાર્ય પક્ષે દેવ પક્ષના સંતો અને હરિભક્તો પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. દેવ પક્ષના સંતોએ જણાવ્યું હતું કે સ્વામિ પર હુમલો કરાવવામાં આવ્યો છે. જોકે, મતદાન સમાપ્ત થયા બાદ તુરંત જ પોલીસે મીડિયા પર હુમલો કર્યો […]

Continue Reading

ચૂંટણીમાં ફરજ બજાવનાર પીળી સાડીવાળી મહિલા પર સોશ્યલ મીડિયા થઈ ગયુ ફીદા

લોકસભાની ચૂંટણીમાં હજારો સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં લખનૌના પીડબલ્યુ ડી વિભાગની અધિકારી રીના દ્રિવેદી પણ સામેલ છે. રીના દ્વિવેદીને કદાચ કલ્પના પણ નહી હોય કે તે રાતોરાત સોશ્યલ મીડિયા પર સ્ટાર બની જશે.ચૂંટણીની ફરજ બજાવવા માટે હાથમાં ઈવીએમ મશીન લઈને જતી રીના દ્વિવેદીએ પીળી સાડી પહેરી હતી અને તે વખતે એક ફોટોગ્રાફરે તેમની […]

Continue Reading

સેક્યુલર નેતાઓએ મુસ્લિમોને કેમ ન આપી લીડરશીપ- પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મનિરપેક્ષતાને લઈને વિપક્ષ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, જે સાંસદ, ધારાસભ્ય પોતાને સેક્યુલર કહે છે, શું તેઓએ કોઈ મુસ્લિમને નેતૃત્વ આપ્યું છે? અંગ્રેજી અખબાર The Indian Expressને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજના અનેક લોકોને લાગે છે કે તેમને હજુ પોતાની રાષ્ટ્રભક્તિની પરીક્ષા આપવી પડે છે. ચૂંટણી કવરેજ દરમિયાન […]

Continue Reading

વરઘોડો રોકવા મહિલાઓએ રોક્યો રસ્તો, પથ્થરમારા અને લાઠીચાર્જ બાદ તંગદિલી

ઉત્તર ગુજરાતમાં વરઘોડાના કાઢવાના મુદ્દે સામાજિક અથડામમો શમવાનું નામ નથી લઈ રહી. આજે બપોરે સાબરકાંઠાના સીતવાડા ગામે વરઘોડા મુદ્દે તકરાર થયા બાદ સાંજે અરવલ્લીના મોડાસા તાલુકાના ખંભીસર ગામે વરઘોડો કાઢવાના મુદ્દે તકરાર થઈ હતી. ખંભીસર ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળતા ગામની અન્ય સમાજની મહિલાઓ વરધોડાના રૂટ પર આવી ગઈ હતી અને ભજન શરૂ […]

Continue Reading

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય મળશે

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી. 14 માર્ચથી અમલ આમ ગુજરાત સરકારે ‘મા’ અને […]

Continue Reading