સરદાર સરોવર ડેમ 138 મીટરને પાર પહોંચતા વિજય રૂપાણીએ 17મી સપ્ટેમ્બરે ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ ઉજવવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ 138 મીટરથી પણ વધુની સપાટીએ પહોંચતા મહોત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે. ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ મહાનગરો તથા જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તાના ગુણગાન કરતો નમામિ દેવી નર્મદે […]

Continue Reading

પોલીસના વાહનમાં જ ‘શકુની’ બની બેઠેલા ત્રણ કોન્સ્ટેબલ ઝડપાયા

શાહીબાગ પોલીસ હેડ ક્વાટસમાં જુના ડીસીપીના બંગલો ર નજીક પોલીસના વાહનમાં જ જુગાર રમતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. જોકે એક આરોપી વાહનમાંથી કુદીને ભાગી ગયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે રૃ.૧૪,૦૨૦ રોકડા કબજે કર્યા હતા. આ બનાવની વિગત મુજબ માધવપુરા પોલીસને માહિતી મળી હતી કે શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ જુના ડીસીપીના બંગલા […]

Continue Reading

HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવામાં આવી સરકારે રાહત,16 ઓક્ટોબર 2019 સુધીમાં લગાડી દેવા આદેશ

ગુજરાત સરકારે16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વહીકલ એક્ટ,2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. 2023 સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ.3000 રહેશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઇસ્પીડ બુલેટ ટ્રેનને લઈ આજે NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર અચલ ખરેએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનના રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જમીનને લઈ વિવાદ હતો એ દૂર થઈ રહ્યો છે. જમીન આપવાનો વિવાદ […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ કિસાન પેન્શન યોજનાનો આરંભ રાંચી ખાતે આરંભ કરાવ્યો

ઝારખંડના રાંચી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અહીંયા ખેડૂતો માટે એક મહત્વકાંક્ષી પેન્શન યોજનાનો આરંભ કરાવ્યો હતો. વડાપ્રધાન કિસાન પેશન્સ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના ખેડૂતો 60 વર્ષે પહોંચશે ત્યારે તેમને માસિક 3000 રુપિયાનું પેન્શન મળશે. આ યોજનામાં આગામી ત્રણ વર્ષ માટે 10,774 રુપિયા ખર્ચ કરાયો છે.તમામ નાના અને સીમાંત ખેડૂતો, હાલ જેમની […]

Continue Reading

પાટીદાર નેતા હાર્દિક પટેલને પૂંજ કમિશને ફટકારી નોટીસ, GMDC દમન મામલે જવાબ રજૂ કરવા આદેશ

પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલને પાટીદારો પર કથિત દમના મામલે પૂંજ કમિશને જવાબ રજૂ કરવા 16 સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવા નોટીસ આપી છે. આ મામલો 25 ઓગસ્ટ 2015નો છે. આ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલનની જનસભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન મામલે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. […]

Continue Reading

સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ, ભરૂચમાંથી 4 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ

સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસીક સપાટીએ છે ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ૩૧.૮૫ ફૂટ પર સ્થિર થઇ છે. જેથી ભરૂચ જિલ્લામાં કુલ ૬00 પરિવારના ૩૮૧૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયુ છે. તો જિલ્લા વહીવટીતંત્રએ સહયોગ આપવાની સાથે અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે..હાલમાં ઝાડેશ્વરથી શુકલતીર્થ […]

Continue Reading

ઉન્નાવ કેસ : પીડિતાનું ઈન કેમેરા નિવેદન લેવા એઈમ્સમાં અસ્થાયી કોર્ટ ઊભી કરાઈ

ઉન્નાવ રેપ પીડિતાનું નિવેદન નોંધવા માટે દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં અસ્થાયી કોર્ટ ઊભી કરવામાં આવી છે. પીડિતાનું નિવેદન લેવા માટે ટ્રાયલ કોર્ટના જજ ધર્મેશ શર્મા એઈમ્સમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત પીડિતા સાથે રેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સહયોગી શશી સિંહને એઈમ્સના જય પ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. થોડા […]

Continue Reading

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિયમને નેવે મુકી અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં કર્યા સિંહ દર્શન

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આમ તો ઘણી વખત વિવાદમાં આવતા રહે છે. તો હવે નવો વિવાદ સામે આવ્યો છે. હાલ ગીર નેશનલ પાર્કમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યું છે. અને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ હોય છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પ્રતિબંધિત વિસ્તારમાં જઈ આવ્યા હોવાના આક્ષેપો થયા છે. […]

Continue Reading

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં નવનિર્મિત ‘કાયદા ભવન’ ખુલ્લું મુકાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા. ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કાયદા ભવન’ને […]

Continue Reading