ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીએ નર્મદા યોજનાથી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉઠાવેલ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ના મુદ્દે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજનાથી સિંચાઈ કુલ ૧૮ લાખ માંથી ૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં થઇ છે એવું નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સામાજિક – […]

Continue Reading

વડોદરાઃ આરોપીને માર ન મારવા PSIએ માગી 35 હજારની લાંચ

ફરીદ ખાન, વડોદરાઃસમાજમાં ગુનો કરનાર અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિની અટકાટત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, અહીં તેની સાથે આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવવામાં આવે છે, પરંતુ કેટલાક લાંચિયા પોલીસ અધિકારીઓના કારણે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ઘર જેવો અનુભવ થાય છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. અહીં એક PSI દ્વારા […]

Continue Reading

ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભૂકંપ, ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યોને IT વિભાગે ફટકારી નોટિસ

ગુજરાતના ધારાસભ્યો પર ઈન્કમટેક્ષ વિભાગે મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકી 70 ધારાસભ્યોને ઈન્કટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે. હવે તમને એક સવાલ ઉદ્દભવશે કે, કેમ ઈન્કમટેક્ષ વિભાગે ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. તો અમે તમને જણાવીએ કે, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના દ્વારા […]

Continue Reading

રાજકોટ: બળાત્કારના આરોપીએ જામીન પર છૂટી ફરીવાર સગીરાનું અપહરણ કરી આચર્યું 7 દિવસ સુધી બળાત્કાર

આજ એક એવા નરાધમની વાત કરવી છે, જેણે ચાર વર્ષ પહેલા સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. તેમ છતાં હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરી એજ સગીરા પુખ્ત થતા તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે 48 વર્ષિય આ નરાધમની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. […]

Continue Reading

પ્રેસ કોન્ફરન્સ / ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલે FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલો મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટ પોલીસને મળ્યો છે જેમાં હત્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ખુશ્બૂ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ખુશ્બૂએ હત્યા કર્યા બાદ આપઘાત કર્યા હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારવામાં આવી […]

Continue Reading

ઘરના ભૂવા ઘરના જ ડાકલા, રાઈડની ફિટનેસ અંગે એજન્સી જ રિપોર્ટ આપે છે, કોર્પો. કે અન્ય વિભાગ તપાસ કરતું નથી

અમદાવાદ: કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સંચાલક ઘનશ્યામ પટેલના બચાવમાં આવી ગયું છે. રાઈડની ચકાસણીની જવાબદારી માર્ગ-મકાન વિભાગની છે અને તેઓ પણ વર્ષમાં એક જ વાર તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. જે તે સંચાલક જ ટેકનિકલ માણસો પાસે ઇન્સ્પેકશન કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે અથવા ડાયરેક્ટર ઓફ ઝૂને […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અવાતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે પ્રવાસન વિભાગે હેલિકોપ્ટર સેવા પુન: કાર્યાંવિત કરાઇ

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અવાતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે પ્રવાસન વિભાગે હેલિકોપ્ટર સેવા એક ખાનગી એજન્સી હેરિટેજ એનિવેશનને કોન્ટ્રાકટ આપીને શરૂ કરી હતી. આ સેવા ડિસેમ્બરમાં શરૂ થઇ ત્યારથી સતત ચાલુ રહી હતી અને આ સુવિધા છેલ્લા ૪ મહિનાથી કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી હતી. જે બાબતના […]

Continue Reading

અમદાવાદ : કાંકરિયા બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી, 3નાં મોત, 31 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી […]

Continue Reading

ક્ષત્રિય ઠાકોર સેનાની સોમવારે બપોરે મળનાર કોર કમિટીની બેઠકમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની તારીખ જાહેર કરશે

કોંગ્રેસનો છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે કમલમમાં પહોંચી કેસરિયો ધારણ કરશે અને ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરોએ કમલમ પહોંચવા થયેલા વાયરલ મેસેજને ધવલસિંહ ઝાલાએ અફવા ગણાવી હતી. સોમવારે બપોરે ૨ વાગે ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરશે તેવું જણાવ્યું હતું. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં […]

Continue Reading

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સરકારી કર્મચારીઓ સાવધાન, ગૃહમંત્રાલયે આપ્યો કડક આદેશ

કેન્દ્ર સરકાર પ્રથમ વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કેટલાક નિયમો લાવનાર છે. હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સરકારી કર્મચારીઓએ કેટલીક ખાસ બાબતનું ધ્યાન રાખવું પડશે. મંત્રાલયે કર્મચારીઓને પોતાના ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટ્સને ઇન્ટરનેટથી કનેક્ટેડ કમ્પ્યૂટરમાં રાખવાના બદલે સ્ટેન્ડ એલોન સિસ્ટમમાં રાખવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર પ્રથમ વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સાથે […]

Continue Reading