વાર્ષિક બે લાખની આવક ધરાવતા પરિવારોને માત્ર 1000 ડિપોઝિટમાં PNG ગેસ જોડાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન- પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ […]

Continue Reading

સુરતના હીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે રૂ. 3000 કરોડના હીરા સીઝ કર્યાં

સુરતના શહેરના કતારગામમાં આવેલી એક મોટી ડાયમંડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું રૂ.3000 કરોડના રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન કરીને વિદેશ સ્થિત કંપનીમાંથી ભારતમાં આયાત કરવામાં આવ્યા હોવાની વાત ધ્યાને આવતા કસ્ટમ વિભાગે 7.50 યુએસ મિલિયન ડોલરના રફ ડાયમંડ ભરેલા બે કન્સાઇનમેન્ટ સીઝ કરી […]

Continue Reading

નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી, કડાણા ડેમમાં પણ નવા નીરની આવક

રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન બાદ મહત્વપૂર્ણ ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર પહોંચી ગઈ છે. તો કડાણા ડેમમાં પણ 15500 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નોંધનીય છે કે, રાજ્યના મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 205 ડેમોમાં કુલ ક્ષમતાની સામે 29.12 ટકા જ પાણીનો સંગ્રહ […]

Continue Reading

રાજ્યમાં મેઘ મલ્હાર : ૬૬ તાલુકામાં ૧થી ૩ ઇંચ વરસાદ

ગુજરાતમાં મેઘાનું વિધિવત આગમન થતાં ૧૯ જિલ્લાના ૬૬ તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે. રવિવારે રાત્રે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં સૌથી વધુ ખેડાના કઠલાલમાં ત્રણ ઈંચ, સાબરકાંઠાના પ્રાંતિજ-તલોદમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં એક ઈંચ વરસાદ પડયો હતો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. […]

Continue Reading

ભાજપ કાર્યાલયમાં નારાયણ પટેલ અને MLA આશા પટેલ વચ્ચે તુ તુ-મેં મેં

MLA આશા પટેલ અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યુ છે. જેમાં મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈને નારાયણ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત માટે પહોંચ્યા હતાં. જો કે આશા પટેલે આ મામલે નારાયણ પટેલે તેમને અપશબ્દો કહ્યા હોવાની વાત કરી હતી. માત્ર તેમણે પ્રતિકાર જ […]

Continue Reading

વડોદરામાં 10માં ધોરણની સગીરાનું ધર્મ પરિવર્તન કરાવીને વિધર્મીએ આચર્યું દુષ્કર્મ

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુરમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા કરવામાં આવી છે. સગીરાની માતાનો આક્ષેપ છે કે, આરોપીએ સગીરાનો અશ્લિલ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી આપી હતી. આરોપીએ જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલુ જ નહીં આ માથાભારે શખ્સ તૌસિફે […]

Continue Reading

છબરડો! ધો.12નાં ફિઝિક્સનાં પુસ્તકમાંથી આખેઆખું એક પ્રકરણ જ ગાયબ

રાજ્યમાં છપાતી પુસ્તકોમાં છબરડા થવા કે કોઇ ભૂલ બહાર આવવી કંઇ નવી વાત નથી. પરંતુ આ વખતે ધોરણ 12 સાયન્સનાં ફીજીક્સનાં પુસ્તકમાંથી આશરે 34 પાનનું એક આખું પ્રકરણ ગાયબ છે. જેને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગંભીર છબરડો ગણાવી શકાય. ગુજરાતી માધ્યમનાં ધોરણ 12ની ફીજીક્સનાં પુસ્તકમાં ચેપ્ટર નંબર 15 કમ્યુનિકેશન સિસ્ટમ આખે આખું જ ગાયબ […]

Continue Reading

સુરતના MLA હર્ષની ટપોરી જેવી હરકત, કોન્ટ્રક્ટરને ટાંટિયા તોડવાની ધમકી

અમદાવાદમાં ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં માર મારીને ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું. જોકે ભાજપના વધુ એક ધારાસભ્યની ગુંડાગીરી જેવી હરકત સામે આવી છે. સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પીઆઈયુના કોન્ટ્રાક્ટરોને સુધરી જાઓ નહિ તો ટાંટિયા તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. લોક પ્રતિનિધિની ટપોરી જેવી ધમકીને પગલે […]

Continue Reading

પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલનું આશ્વાસન મળતા આખરે સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઇ

અમદાવાદમાં આજે ગુરૂવારે સ્કૂલવાન ચાલકોની હડતાળને લઇને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ટ્રાફિક અને આરટીઓ શાખા દ્વારા આડેધડ અને જોહુકમીપૂર્વક બેફામ રીતે સ્કૂલવાન-રિક્ષાઓને દંડવાનું શરૂ કરાતા તેના વિરોધમાં આજે હડતાલ અપાઇ હતી. એકબાજુ વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે તંત્ર તેની કાર્યવાહી યોગ્ય ઠેરવી રહ્યું હતું. તો બીજી બાજુ સ્કૂલવાન ચાલકો સરકારના બેવડા નીતિનિયમોના મુદ્દે મેદાને પડયા […]

Continue Reading

પૂર્વ IPS સંજીવ ભટ્ટને જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા

પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે. જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં 29 વર્ષ બાદ […]

Continue Reading