બ્રિટનમાં આજે થનારી ચૂંટણીમાં હિન્દુઓ કોને મત આપશે?

બ્રિટનમાં આજે ગુરૂવાર 12 ડિસેંબરે થનારી ચૂંટણીમાં ભારતીય હિન્દુઓ કન્ઝર્વેટિવ પક્ષને મતો આપશે એવી ધારણા રાજકીય પંડિતો રાખી રહ્યા હતા. આમ થવાનું કારણ પણ સમજી શકાય એવું હતું. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ આ વર્ષના ઑગસ્ટની પાંચમીએ રદ કરી ત્યારે બ્રિટિશ લેબર પક્ષના સાંસદ જેરેમી કોર્બિને ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. […]

Continue Reading

ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટને લોન્ચ કર્યા, ભારતનું રિસેટ- 2BR1 અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે

ભારતીય સંસ્થા ઈસરોએ આજે ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગ પીએસએલવી-સી48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે. 35 સેમી દૂર આવેલા બે […]

Continue Reading

નાગરિકતા સુધારણા બિલ પાસ થતાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં ખુશીની લહેર

CAB-2019 લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પથી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સંસદમાં ભલે આ બિલ પર ભારે હોબાળો મચ્યો, વિપક્ષ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રહ્યા, પૂર્વ-ઉત્તર રાજ્યો સહિત દેશના અનેક ભાગોમાં આ બિલનો ભારે વિરોધ કરવામાં આવ્યો પરંતુ રાજસ્થાનમાં વસી રહેલા શરણાર્થીઓને આ બિલ થકી આશાની […]

Continue Reading

અસમ: CAB-2019ના વિરોધમાં ગુવાહાટી પ્રદર્શન હિંસક બન્યા, સ્થિતિ ગંબીર થતા શહેરમાં કરફ્યુ

અસમના ગુવાહાટીમાં નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં ભારે પ્રદર્શન વચ્ચે કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અસમના 10 જીલ્લાઓમાં 24 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.  નોંધનીય છે કે અસમમાં આ બિલના વિરોધમાં હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. રાજ્યમાં અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ ઉભો થયો હતો.  […]

Continue Reading

રાજ્યસભામાંથી પણ પાસ થયું નાગરિકતા સુધારણા બિલ

મોદી સરકાર નાગરિકતા સુધારણા બિલ રાજ્યસભામાંથી  પાસ કરાવવામાં સફળ નિવડી છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 વોટ પડ્યા જ્યારે 105 સાંસદોએ બિલ વિરુદ્ધ મતદાન કર્યું હતું. બિલ પર મતદાન પહેલા તેને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પ્રસ્તાવ રદ થયો હતો.  રાજ્યસભામાંથી પાસ થયા પછી રાષ્ટ્રપતિની સહી સાથે આ બિલ […]

Continue Reading

વિરોધમાં નોર્થ ઇસ્ટમાં બંધનું એલાન, અસમમાં ઘણા સ્થળે આગ લગાવાઇ, ત્રિપુરામાં 48 કલાક માટે ઇન્ટરનેટ બંધ

લોકસભામાં પસાર કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં મંગળવારે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠનો અને ડાબેરી પાર્ટીઓએ બંધનું એલાન કર્યું હતું. અસમ, ત્રિપુરા અને અરુણાચલમાં તેની અસર સામાન્ય જીવન પર જોવા મળી હતી. અસમના ડિબ્રુગઢ અને જોરહાટમાં બિલનું વિરોધ કરનારા લોકોએ આગ લગાવી હતી. અહીં મંગળવારે યોજાનારી દરેક પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અરુણાચલમાં […]

Continue Reading

દેશના સૌથી શક્તિશાળી ડિફેન્સ સેટેલાઈટનું કાઉન્ટડાઉન શરૂ

ઈસરોના સૌથી શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 4.40 કલાકે લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે બપોરે 3.25 કલાકે આ શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ થશે. તેનું નામ રીસૈટ-2બીઆર1 છે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઈમેજિંગની શક્તિમાં અનેક ગણો વધારો થશે. સાથે જ દુશ્મનો પર નજર […]

Continue Reading

1લી ફેબ્રુઆરીથી મોંઘી થશે રેલવેમાં મુસાફરી, 15થી 20 ટકાનો વધારો થશે

રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે ટૂંક જ સમયમાં રેલવે ખરાબ સમાચાર આપી શકે છે. રેલવે બોર્ડે ટિકિટ દરોમાં વધારા માટે નિર્ણય લઇ ચૂક્યું છે. જે મુજબ રેલવે સબઅર્બન ટ્રેનોથી માંડીને મેલ-એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઇ રહ્યું છે. આ વધારો પાંચ પૈસાથી લઇને ચાલીસ પૈસા પ્રતિ કિમી વધી શકે છે. ટકાવારીમાં જોઇએ તો દરેક […]

Continue Reading

અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું, ધર્મ આધારિત દેશોમાં અલ્પસંખ્યકોનું શોષણ થાય છે

ભારતીય નાગરિક બની ચૂકેલા બોલિવૂડ સિન્ગર અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું છે. સોમવાર રાત્રે લોકસભામાં પાસ થયેલા આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ દળોએ ભારે વિરોધ કર્યો છે.  નાગરિકતા સુધારણા બિલના વિરોધ વચ્ચે અદનાન સામીએ ટ્વિટ દ્વારા બિલનું સમર્થન કરતા લખ્યું કે, નાગરિકતા સુધારણા બિલ એ ધર્મોના લોકો માટે છે, જેમનું ધર્મ આધારિત […]

Continue Reading

દિલ્હીમાં લોકો પ્રદૂષણથી મરી રહ્યા છે તો ફાંસી કેમ?: નિર્ભયાના આરોપીની માફી અરજી

એક તરફ દિલ્હી નિર્ભયા ગેંગરેપ અને નિર્મમ હત્યાના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં આરોપીઓ પૈકી એક આરોપી અક્ષય સિંહે સુપ્રીમ કોર્ટમાં વિચિત્ર તર્ક સાથે ફાંસીની સજામાં માફી માટે અરજી કરી છે. નિર્ભયાના આરોપીએ તેની અરજીમાં કહ્યું છે કે, દિલ્હીની હવા અને પાણીમાં એટલુ પ્રદૂષિત છે કે લોકો એમ પણ મરી રહ્યા છે, […]

Continue Reading