DPS શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે, 800 વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે.

રાજ્ય સરકારે DPS મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને રાજ્ય સરકારના ઈતિહાસમાં પ્રથમવાર આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાસનની જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે.