નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ તેના આખરી પડાવમાં છે ત્યારે તંત્ર દ્વારા લોકોને કહી દેવામાં આવ્યું છે કે, બસો ભરેલી જ આવવી જોઈએ. ખાલી બસો આવશે તો કાર્યકર્તાઓ ઉપર તવાઈ આવશે તેવી ધમકી આપવામાં આવી છે. આ તમામ વાતો વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, કોણ મોટુ ફેકું પીએમ મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પ. આ વિગતોને લઈન સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ટ્રમ્પ તરફથી એવી વાત વહેતી થઈ હતી કે, તેમનું સ્વાગત કરવા અમદાવાદમાં 1 કરોડ લોકો ઉભા હશે જ્યારે અમદાવાદની ટોટલ વસતી પણ એક કરોડ નથી.
- બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે
- એસટી વિભાગની બસોના સુપરવાઈઝરને આપવામાં આવી
- સ્ટેડિયમમાં લાવવા-લઇ જવા એસટી નિગમની 2200 બસ દોડશે
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ હવે મોટા ભાગે પૂરી થવામાં છે. આ કાર્યક્રમમાં લોકોને મોટેરા સ્ટેડિયમમાં લાવવા-લઇ જવા એસટી નિગમની 2200 બસ દોડશે. લોકોની ભીડ જળવાઈ રહે તે માટે બસ અર્ધી કે ખાલી નહિ લાવવાની સુપરવાઈઝરને સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે
સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું અભિવાદન કરવા આવનારા લોકોએ તેમની સાથેની કોઈ પણ વસ્તુ તેમના વાહનમાં મૂકીને આવવું પડશે. બસમાં આવનારાઓએ બસમાં તેમનો સામાન મૂકી રાખવો પડશે. બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે. લોકોએ તેમનું ઓળખકાર્ડ ફરિજયાત તેમની સાથે રાખવું પડશે.
એસટી વિભાગની બસોના સુપરવાઈઝરને આપવામાં આવી આ જવાબદારી
કાર્યક્રમ દરમિયાન લોકોને આવનજાવન કરવા દેવાશે નહિ. મુલાકાતીઓને એવી રીતે બેસાડવાના રહેશે કે ખાલી જગ્યા સ્ટેડિયમમાં પણ જોવા ન મળે. સુપરવાઇઝરોએ સ્ટેડિયમમાં પીવાના પાણી અને શૌચાલયની સુવિધા અને સ્થળની જાણ મુલાકાતીઓને કરવાની રહેશે. તમામ તકેદારી રાખવાની સૂચના એસટી વિભાગની બસોના સુપરવાઈઝરને આપવામાં આવી છે, જેનું તેમણે પાલન કરવાનું રહેશે.

