ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમૈનીએ ગુરુવારે દિલ્હી તોફોનાનોને લઈને ભારત સરકાર પર નિશાન તાક્યું હતું. ખોમૈનીએ જણાવ્યું કે, ભારતની હાલની સ્થિતિને જોઈને લાગે છે કે ત્યાંના મુસ્લિમો જોખમમાં છે. હાલ આ મામલે ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને ખોમૈનીનો આભાર વ્યક્ત કર્યો અને કાશ્મીરના મુસ્લિમો અંગે મોદી સરકાર પર પ્રહારો કર્યા.
ખોમૈનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારતમાં મુસ્લિમોના નરસંહારથી દુનિયભરના મુસ્લિમો દુ:ખી છે. ભારત સરકારે કટ્ટર હિન્દુઓ અને તેમની પાર્ટીને રોકવી જોઈએ. ભારત ઈસ્લામિક દેશોથી અલગ ના થઈ જાય, તેના માટે મુસ્લિમોના નરસંહાર રોકવા જોઈએ.
અગાઉ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને પણ ભારતીય મુસ્લિમોને લઈને ટિપ્પણી કરી હતી. ભારતે તેમની ટિપ્પણીને રાજકીય એજન્ડાથી પ્રેરિત ગણાવી હતી. તુર્કીના રાષ્ટ્રપતિએ દિલ્હી હિંસાને લઈને ભારતની નિંદા કરી હતી. તેમણે દિલ્હીમાં મુસ્લિમોના નરસંહારનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હિન્દુ મુસ્લિમોનું નરસંહાર કરી રહ્યા છે.

