દેશમા ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની મહામારીથી લડવા માટે તમામ સાંસદોનો પગાર, ભથ્થા અને પેન્શનમા એક વર્ષ માટે ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ ઉપરાંત સોમવારે મળેલી કેન્દ્રીય કેબીનેટમા આ વટહુકમ મંજુર કરવામા આવ્યો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે સાંસદ અધિનિયમ ૧૯૫૪ અંતર્ગત ૧ એપ્રિલ ૨૦૨૦મા સેલરી, ભથ્થા અને પેન્શનમા ૩૦ ટકાની કપાત કરવામા આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ અને અનેક રાજયના રાજયપાલ અને ઉપ રાજયપાલે એ સ્વેચ્છાએ તેમની પગારમા કાપ મુકવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે કહ્યું છે આ રકમ ભારત સરકારના સંચય નિધિમા જમા થશે અને તેનો ઉપયોગ કોરોના વિરુદ્ધની લડાઈમા કરવામા આવશે
આ ઉપરાંત પ્રકાશ જાવડેકરે કહ્યું કે સાંસદ નિધિ ૨૦૨૨ સુધી તેને સમાપ્ત કરવામા આવશે. આ દરમ્યાન દરેક સાંસદના ૧૦ કરોડ રૂપિયા દેશ નિર્માણમા કામ લાગશે.
તેમણે કહ્યું કે કોરોના જેવી વૈશ્વિક મહામારીથી લડવા માટે ખુબ જ ઘનની જરૂરિયાત હશે. જેમા કેન્દ્ર સરકારનો આ નિર્ણય મહત્વનો માનવામા આવી રહ્યો છે. કારણ કે તેની માટે એન-૯૫ માસ્ક, પીપીઈ કીટ, સર્જીકલ ગ્લોવ્સ, વેન્ટીલેટર, ટેસ્ટ કીટ અને બીજા જરૂરી સાધનો માટે નાણાની જરૂરિયાત હશે. આ ઉપરાંત ભારત સરકાર પીએમ કેર ફંડમાંથી લોકો પાસેથી નાણા એકત્ર કરી રહી છે.

