વિશ્વની મહાશક્તિનો દાવો કરનાર અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને કારણે અમેરિકામમાં અત્યાર સુધી 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાથી અમેરિકામાં 1150 લોકોના મોત થયાં છે. સોમવારરે કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંકડો 1200 પર પહોંચી ગયો. અમેરિકામમાં સ્થિતિ નિયંત્રણથી બહાર થઈ ચૂકી છે. જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમમ્પે કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે.
ટ્રમ્પની ચેતવણી, ભારતે દવાની સપ્લાય નહિ કરી તો બદલો લેશું
અમેરિકાએ ભારત પાસે મદદ માંગી
કોરોનાથી ખરાબ રીતે અમેરિકાએ મુશ્કેલ સમમાં ભારત પાસેથી મદદ માંગી છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પીએમ મોદીને ફોન પર વાતચીત કરી અને તેમને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની સપલ્ય શરૂ કરવા આગ્રહ કર્યો. આ વિશે જાણકારી આપતા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત જો આશ્વાસન નહિ આપે અને હાઈડ્રોક્સી્લોરોક્વીન દવાની સપ્લાયને મંજૂરી નથી આપતું તો તેનો આકરો જવાબ આપવામમાં આવશે.
ટ્રમ્પની ચેતવણી, ભારતે દવાની સપ્લાય નહિ કરી તો બદલો લેશું
ભારત હાીડ્રોક્સીક્લોરોક્વીન દવાની સપ્લાય કરશે
વ્હાઈટ હઉસમાં કોરોના વાયરસ સંબંધિત પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે પીએમ મોદી પાસે મદદ માંગી છે. તેમણે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે જો ભારત આ દવાઓની સપ્લાય શરૂ કરી દે તો બહુ સારું થશે, પરંતુ જો આવું નથી કરતા તો કંઈ નહિ થાય. અમે તેનનો કરારો જવાબ આપત અને આખરે આકરો જવાબ કેમ ના આપવામમાં આવે? ટ્રમ્પે ભારતને ચેતાવમી આપી દીધી.
ટ્રમ્પની ચેતવણી, ભારતે દવાની સપ્લાય નહિ કરી તો બદલો લેશું
24 એક્ટિવ ફાર્માટિકલ ઈનગ્રીડિન્ટ્સના એક્સપોર્ટ પર પ્રતિબંધ હટ્યો
જો કે પીએમ મોદીએ અમેરિકી પ્રેસિડેન્ટને દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે. ભારતે 24 એક્ટિવ ફાર્માટિકલલ ઈનગ્રીડિયન્ટ્સના એક્સપોર્ટ પર લાગેલ પ્રતિબંધ હટાવી લીધો છે. જણાવી દઈએ કે ભારતીય દવા કંપનીઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીન મેડીસીનનું ઉત્પાદન કરે છે. આ દવા મેલેરિયા જેવી ખતરનાક બીમારીથી લડવામાં કારગર છે. જ્યારે કેટલાય રિસર્ચમાં આ વાત સામે આવી કે આ દવાની મદદથી કોરોના વાયરસના સંક્રમણને રોકવામમાં મદદ મળશે.

