પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ સમયે મો પર માસ્ક લગાવ્યુ છે. કોન્ફરન્સિંગમાં લોકડાઉનની અવધિ લંબાવવા પર ચર્ચા થઈ રહી છે. આ અગાઉ મોદીએ 20 માર્ચ અને 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાવ માટે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14મી એપ્રિલના રોજ પૂરું થવા જઈ રહ્યુ છે. અત્યાર સુધી 9 રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે લોકડાઉન 30 એપ્રિલ સુધીમાં દેશભરમાં લંબાવી શકાય છે. 14 એપ્રિલ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વાર દેશને સંબોધન કરી શકે છે. મોદીએ 24 માર્ચે પોતાના બીજા સંબોધનમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકાર લોકડાઉનમાં કેટલાક ફેરફાર કરી શકે છે
- સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન કેટલાક ફેરફારો સાથે આગળ વધવાની ધારણા છે. રાજ્યોમાં આવશ્યક સેવાઓ સિવાય પ્રતિબંધો ચાલુ રહેશે. શાળા-કોલેજો અને ધર્મસ્થાનો પણ બંધ રહેવાની સંભાવના છે.
- લોકડાઉનને કારણે, દેશના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે, કેટલાક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગને વળગી રહેવાની શરતે લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે પોતાના અહેવાલમાં કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
- લોકડાઉનથી વિમાન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે, પરંતુ તેઓએ તમામ વર્ગોમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.
ઓડિશા અને પંજાબે 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું છે
ઓડિશા લોકડાઉન અવધિનો વિસ્તાર કરનાર પ્રથમ રાજ્ય છે. 30 એપ્રિલ સુધી લોકડાઉન રાખવા અને 17 જૂન સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કેન્દ્રને ફ્લાઇટ્સ બંધ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત પંજાબે પણ 30 એપ્રિલ સુધી કર્ફ્યુ વધાર્યો છે. કર્ણાટક પણ લોકડાઉન વધારવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગ અને પોન્ડિચેરી પણ લોકડાઉન વધારવાના પક્ષમાં છે.
મોદીના કોરોના પર અત્યાર સુધીના 3 સંબોધન
- પ્રથમ: 19 માર્ચે વડા પ્રધાને જનતા કરફ્યુ લાદવાની વાત કરી હતી. આ પછી, 22 માર્ચે દેશભરમાં બધું જ બંધ રહ્યું હતું. સાંજે લોકોએ ઘરની અંદરથી તાળીઓ વગાડીને પ્લેટ વગાડીને કોરોના લડવૈયાઓને આભાર માન્યો.
- બીજું: મોદીએ 24 માર્ચે કોરોનાને રોકવા માટે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના ચેઇનને તોડનારા લોકોએ તેમના ઘરોમાં રહેવા માટે લક્ષ્મણ રેખાને અનુસરવું જોઈએ.
- ત્રીજું: વડા પ્રધાન મોદીએ 3 એપ્રિલે એક વીડિયો સંદેશ રજૂ કર્યો. આ દરમિયાન લોકોને 5 મી એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે ઘરોની લાઇટ બંધ કરીને ઘરોમાં લેમ્પ, મીણબત્તીઓ અને મોબાઈલ લાઇટ લગાડીને એકતા બતાવવા અપીલ કરવામાં આવી હતી.

