મુંબઈની તાજ હોટલના 6 કર્મચારીઓ પોઝિટિવ, દર્દીઓની સંખ્યાના આધારે રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના સંક્ર્મણને કારણે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકડાઉન પાર્ટ -2 હવે વધુ કડક બનશે. સંક્રમણ સાંકળ તોડવા માટે રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરમિયાન, દક્ષિણ મુંબઈની હોટલ તાજ મહલ પેલેસના ઓછામાં ઓછા છ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. તાજ હોટલનું સંચાલન કરતી ભારતીય હોટલ કંપની (IHC) એ કર્મચારીઓમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. જો કે, તેમણે સંખ્યા સ્પષ્ટ કરી નથી. શહેરમાં કોરોના સંક્ર્મણ સામે લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોને હોટલમાં રાખવામાં આવ્યા છે. તેમણે પોતાના 500 કર્મચારીઓની તપાસ કરાવી છે. જેમાંથી શનિવારે સ્ટાફના 6 જણાને સંક્ર્મણ થયું હોવાની વાત સામે આવી હતી.

મહારાષ્ટ્રને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે:
સંક્ર્મણનો સામનો કરવા રાજ્ય સરકારે રેડ ઝોનમાં 15થી વધુ દર્દીઓવાળા જિલ્લાઓને રાખ્યા છે. આનાથી ઓછા લોકો ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવે છે અને જ્યાં એક પણ દર્દી નથી તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે આના આધારે આગામી લોકડાઉન માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

  • રેડ ઝોન: મુંબઇ, થાણે, પાલઘર, પુણે, નાગપુર, રાયગઢ, સાંગલી અને ઔરંગાબાદ.
  • ઓરેંજ ઝોન: રત્નાગીરી, સિંધુદુર્ગ, સાતારા, કોલ્હાપુર, નાસિક, અહેમદનગર, જલગાંવ, ઉસ્માનબાદ, બીડ, જલ્ના, હિંગોલી, લાતુર, અમરાવતી, અકોલા, યાવતમાલ, બુલધન, વશીમ અને ગોંદિયા.
  • ગ્રીન ઝોન: ધુલે, નંદુરબાર, સોલાપુર, પરભની, નાંદેડ, વર્ધા, ચંદ્રપુર, ભંડારા અને ગઢચિરૌલી.

કોરોના અપડેટ્સ: 

  • રવિવારે મુંબઈના ધારાવીમાં 15 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં દર્દીઓની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં તબલીઘ જમાતના બે લોકોનો સમાવેશ થાય છે. શનિવારથી અહીં ઘરે ઘરે સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
  • મુંબઈના દાદરમાં બે નવા દર્દીઓ મળી આવ્યા છે. અહીં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 13 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, નાસિકને અડીને માલેગાંવમાં પાંચ નવા દર્દીઓ મળી આવ્યા છે, આ સાથે અહીં દર્દીઓની કુલ સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.
  • રાજ્ય સરકારના જણાવ્યા મુજબ 3 ફેબ્રુઆરીથી મુંબઇમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. 10 એપ્રિલ સુધીમાં 19 હજાર 541 લોકોની અહીં તપાસ કરવામાં આવી હતી. મુંબઈમાં અત્યાર સુધીમાં 10 લાખ દીઠ 1499 લોકોની તપાસ કરવામાં આવી છે. આ સરેરાશ દેશમાં સૌથી વધુ છે. દેશના પ્રથમ કોરોના દર્દી કેરળમાં મળી આવ્યા હતા, ત્યાં અત્યાર સુધીમાં 13 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે. અહીં 10 લાખ દીઠ તપાસની સરેરાશ 398 છે. રાજ્યની તપાસના મામલામાં તે દેશમાં બીજા નંબરે છે. આ પછી દિલ્હીનો નંબર આવે છે.