ગુજરાતના પદ્મશ્રી કલાકાર અને શાંતિનિકેતન દ્વારા સન્માનિત હકુભાઈ શાહનું ગુરુવારે બપોરે 85 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન નેમનાથ સોસાયટી શાંતિવન પાલડી ખાતેથી શુક્રવાર સવારે 8.30એ નિકળશે. પદ્મશ્રી હકુભાઈ શાહની અંતિમવિધિ વીએસ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે.

