ચૂંટણી બાદ તપાસ હાથ ધરાશે, ‘ચોકીદાર’ જેલમાં જશે: રાહુલ ગાંધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે “કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે.

આગામી લોકસભા ચૂંટણીમાં ચોકીદાર પર ચર્ચા જેમ જેમ જોર પકડી રહી છે તેમ તેમ સરકાર અને વિપક્ષ પોત પોતાની રીતે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીએ ભારતીય જનતા પાર્ટી પર તાજો પ્રહાર કર્યો છે. તેમણે ચોકીદાર ચોર હૈના નારાને દોહરાવતા દાવો કર્યો છે કે ચૂંટણી બાદ ‘ચોરી’ની તપાસ થશે અને ‘ચોકીદાર’ જેલ જશે. રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે “કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે. ચોરીના પૈસાની ચોકીદારી માટે. તેમણે વધુમાં કહ્યું કે કોઈ નાની મોટી ચોરી થઈ નથી. હું તમને જણાવું છું કે ચૂંટણી બાદ તપાસ થશે અને જેલમાં બીજા ચોકીદાર હશે. જેલની બહાર બીજા ચોકીદાર હોય છે.”