સૌરાષ્ટ્રમાં 5 ડેમો ભરાયા હતા, તંત્રના કયા પાપે લોકોને પાણી માટે મારવા પડે છે વલખા!

ગુજરાત

સૌરાષ્ટ્રમાં પેદા કરવામાં સરકારની અણઆવડતે પણ મોટો રોલ ભજવ્યો છે કેમ કે આંકડાં કહે છે કે, ૨૦૧૭ની તુલનામાં ૨૦૧૮ના ચોમાસામાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ૨૭ ડેપ પૈકી ૭ ડેમ ૮૮થી ૧૦૦ ટકા ભરાયા હતા. અલબત્ત બાકીના ૨૦ ડેમમાં ઓછા વરસાદથી ઓછું પાણી આવ્યું હતું તેય હકીકત છે.

અમરેલીનો ધાતરવાડી ડેમ, ગીર-સોમનાથના હિરણ-૨, મછુન્દ્રી, રાવળ ડેમ તથા જૂનાગઢનો ઓઝત-૨ ડેમ એમ પાંચ નાના ડેમ ૨૦૧૮માં ૧૦૦ ટકા ભરાયા હતા. વર્ષ ૨૦૧૭ના ચોમાસામાં ગીરસોમનાથના ઉક્ત ત્રણે ડેમ ૧૦૦ ટકા ભરાયા હતા, પણ ધાતરવાડી ૬૩.૪૧ ટકા અને ઓઝત-૨ ૮૬.૧૬ ટકા જ ભરાયો હતો.રાજકોટનો ભાદર-૨ ડેમ અને ફોફલ-૧ ડેમ ૨૦૧૭ અને ૨૦૧૮માં લગભગ સરખા જ ભરાયા હતા. ૨૦૧૮માં ભાદર-૨માં ૯૪.૨૯ ટકા અને ફોફલ-૧માં ૮૭.૮૬ ટકા પાણી આવ્યું હતું. બોટાદ અને સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્રના ૯ જિલ્લાનો સરકારી રિપોર્ટ કહે છે કે, ૨૦૧૮માં ૯ જિલ્લાના ૨૦ ડેમ પૈકી ૫ ડેમમાં ૫ ટકા કરતાં ઓછું અને ૪ ડેમમાં ૨૦ ટકા ઓછું પાણી આવ્યું હતું,જેથી સૌરાષ્ટ્રમાં પાણીની કારમી સ્થિતિ અત્યારે  છે. પોરબંદરના ખંભાળા ડેમ ૪.૪૯ ટકા, મોરબીનો બ્રાહ્મણી-૨ ડેમ ૩.૩૮ ટકા, દ્વારકાનો ઘી ડેમ ૨.૩૯ ટકા તથા વર્તુ-૨ ડેમ ૩.૬૩ ટકા તથા રાજકોટનો વેરી ડેમ ૪.૧૪ ટકા જ ભરાયો હતો. ઘી ડેમ ૯૭ ટકા, વર્તુ-૨ ડેમ ૯૮ ટકા તથા વેરી ડેમ ૧૦૦ ટકા ૨૦૧૭માં ભરાયા હતા. ૨૦૧૭માં મોરબીનો બ્રાહ્મણી-૧, દ્વારકાનો સાની ડેમ ૯૮ ટકા, જામનગરનો સસોઈ તથા ઉન્ડ ડેમ ૧૦૦-૧૦૦ ટકા, આજી-૧ ૧૦૦ ટકા તેમજ મચ્છુ-૧ અને ૨ પણ ૯૯ ટકા કરતાં વધુ ભરાયા હતા.