ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં શાળાઓમાં આપવામાં આવતા નવરાત્રી વેકેશનને રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે ગત વર્ષથી જ શાળાઓમાં નવરાત્રી વેકેશન આપવાની શરૂઆત કરી હતી. જોકે, સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. આ વર્ષે પણ રાજ્યની અનેક શાળાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો જેને ધ્યાનમાં લઈને સરકારે શાળામાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાયી હતી અને આ બેઠકમાં વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

