લોકસભા ચૂંટણીમા સતત બીજી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વિદેશ યાત્રા માટે માલદીવ બાદ શ્રીલંકા પહોંચ્યા તો તે સમયે અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ. રાષ્ટ્રપતિ આવાસમા મોદીનું સ્વાગત કરવામા આવ્યુ. એ સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના પણ હાજર હતા. સિરિસેનાના હાથમા છત્રી જોવા મળી. છત્રીથી તેઓ પોતાને અને વડાપ્રધાન મોદીને વરસાદથી બચાવી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે રવિવારે દસ દિવસની અંદર બીજી વખત મુલાકાત કરી અને બન્ને નેતાઓ આતંકવાદ સંયુક્ત જોખમ છે અને તેના પર કાર્યવાહી કરવાની જરૂરિયાતમાં સંમતિ દર્શાવી. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામા એપ્રિલ મહિનામાં ઈસ્ટરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીલંકાની મુલાકાત લેનારા પહેલા વિદેશી નેતા PM મોદી છે. તેમની મુલાકાત હુમલા બાદ શ્રીલંકા સાથે ભારતની એકતા દર્શાવે છે.

