ભારત અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશે : ઈસરો પ્રમુખ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત ચંદ્રયાન-2 બાદ હવે અવકાશ ક્ષેત્રે મહાશક્તિ બનવા તરફ નજર દોડાવી રહ્યું છે. ભારત આગામી ટૂંક સમયમાં અવકાશમાં પોતાનું સ્પેશ સ્ટેશન સ્થાપશે તેમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા કે સિવને જણાવ્યું છે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન મિશનના વિસ્તરણના ભાગરૂપે હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું. ‘અવકાશમાં સમાનવ રોકેટ મોકલ્યા બાદ ગગયાન કાર્યક્રમને ટકાવી રાખવો જરૂરી છે. જેના ભાગરૂપે ભારત પોતાનું અલગ સ્પેસ સ્ટેશન સ્થાપશે,’ તેમ સિવને જણાવ્યું હતું.

ઈસરોએ 15મી જુલાઈના મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ હવે ઈસરો આગામી સમયમાં સૂર્ય અને શુક્ર સુધી પહોંચવા પણ વિચારણા કરી રહ્યું છે. મિશન ચંદ્રયાનનો ખર્ચ રૂ. 10,000 કરોડ જેટલો થશે. ભારતના મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટની લઈને દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળે છે. ઈસરોના વડાએ ભાવિ યોજનાઓ વિશે જણાવતા કહ્યું કે, સંસ્થા હવે સૂર્ય અને વિનસ (શુક્ર) જેવા ગ્રહો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.

ચંદ્રયાન-2 વિશે સિવને જણાવ્યું કે 15 જુલાઈના સવારે બે કલાકે મિશન લોન્ચ થશે. મિશનમાં 2-3 ક્રૂ સભ્યો હશે જેમને સંપૂર્ણ તાલીમ ભારતમાં આપવામાં આવી છે. ભારતનું આ સૌપ્રથમ માનવ મિશન 2022માં પૂર્ણ થશે.