વિરલ આચાર્યએ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા છ મહિનામાં RBI માંથી રાજીનામું આપનાર આચાર્ય બીજા મોટા પદાધિકારી છે. એમનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2020 ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ છ મહિના પહેલા પદ છોડવાનો નિર્ણય કર્યો. ઉર્જિત પટેલનું જ્યારે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર પદ પર 4 સપ્ટેમ્બર 2016એ પ્રમશોન થયું તો આચાર્યને એમની જગ્યાએ ડેપ્યુટી ગવર્નરનું પદ આપવામાં આવ્યું હતું.
આચાર્યનો ઉર્જિત પટેલ સાથે ખૂબ જ નજીકના સંબંધ હતા, એટલા માટે 10 ડિસેમ્બર 2018 એ જ્યારે ઉર્જિત પટેલે આરબીઆઇ ગવર્નર પદ છોડ્યું તો કેટલાકને લાગ્યું કે કદાચ આચાર્ય પણ રાજીનામાની જાહેરાત કરી દેશે. જો કે એ પદ પર બન્યા રહ્યા.
આરબીઆઇની સ્વાયત્તાથી સમજૂતી કરાવવાનો આરોપ લગાવતા કેન્દ્ર સરકારને ખૂબ જ સંભળાવ્યું હતું. ત્યારે એમને કહ્યું હતું કે જે સરકાર પોતાના કેન્દ્રીય બેંકોની સ્વાયત્તાનું સમ્માન કરતી નથી, એમને મોડા કે વહેલા નાણાંકીય બજારોના આક્રોશનો સામનો કરવો પડે છે. આચાર્યના આ સંબોધનથી આરબીઆઇ અને સરકારની વચ્ચે સંબંધમાં તિરાડ પડવાની શરૂ થઇ ગઇ.
જો કે બાદમાં એવી માહિતી મળી હતી કે સરકારે આરબીઆઇના 83 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સેક્શન 7 ના ઉપયોગની ધમકી આપી હતી.

