ઉન્નાવકાંડમાં ફજેતીના ડરથી ભાજપે કુલદીપ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો

મુખ્ય સમાચાર રાજકીય

ઉન્નાવ કેસમાં ચારે તરફથી બદનામી થયા બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષે સ્પષ્ય કર્યું છે કે, આરોપી કુલદીપસિંહ સેંગરને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે અને એ સસ્પેન્ડ રહેશે.

ઉન્નાવ મામલામાં વિપક્ષે મંગળવારે સંસદથી રોડ સુધી ભાજપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ, ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પીડિતાને મળવા પહોંચ્યા હતાં. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સીધી હુમલો કર્યો હતો કે, મુખ્યમંત્રી પર ભરોસો કરી શકાય તેમ નથી.

અખિલેશે આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રીની જાણકારીમાં બધુ જ થાય છે. જ્યારે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી અને બીએસપી ચીફ માયાવતીએ પણ સરકાર પર મિલીભગતનો આરોપ લગાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, આપણે કેમ કુલદીપ સેંગર જેવા લોકોના હાથમાં સત્તાની તાકાત અને સંરક્ષણ આપીએ છીએ અને પીડિતોને કેમ એકલા લડવા માટે છોડી દઈએ છીએ ? પ્રિયંકાએ એ પણ માંગ કરી કે હજુ માંડુ થયું નથી. ભગવાન ખાતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અપરાધી અને એના ભાઈને સત્તામાંથી બહાર કરી દેવા જોઈએ.

બીજી તરફ, ઉન્નાવ ગેંગ રેપની પીડિતાની તબિયત હજુ નાજુક છે.