સરકારે આપી ભેટ, પોસ્ટનાં બચત ખાતાધારકો માટે શરૂ થઈ મોબાઈલ બેંકિંગની સુવિધા

મુખ્ય સમાચાર રાજકીય

પોસ્ટ વિભાગે પોતાના બચત ખાતાધારકો માટે તહેવારની સીઝનમાં મોટી ભેટ આપતાં તેમના માટે મોબાઈલ બેંકિંગની સુવિધા આખા દેશમાં મંગળવારથી શરૂ કરી દીધી છે. આ સુવિધાનો લાભ દેશભરમાં તે ગ્રાહકોને મળશે, જેમનું બચત ખાતુ પોસ્ટનાં કોર બેંકિંગ સોલ્યુશન સાથે જોડાયેલાં છે. આ વિશે પોસ્ટ વિભાગે સર્કુલર રજૂ કરી દીધો છે. પોસ્ટ વિભાગે એક વર્ષ પહેલાં ગ્રાહકો માટે ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા શરૂ કરી દીધી હતી.

  • આ સુવિધાનો લાભ લેવા ગ્રાહકોએ તેમના મોબાઇલમાં ઇન્ડિયા પોસ્ટ મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.
  • તે પહેલાં ગ્રાહકો પાસે કેટલીક વસ્તુઓ હોવી જોઈએ, જેના વિના તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
  • ગ્રાહકો પાસે માન્ય ઇમેઇલ આઈડી, પાન અને મોબાઇલ નંબર હોવો આવશ્યક છે.
  • સીઆઈએફ અથવા ગ્રાહક ID ને અપડેટ કરવું આવશ્યક છે.
  • આ હેઠળ પ્રથમ અને છેલ્લું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, લિંગ, સરનામું અને પોતાનું માન્ય આઈડી પ્રૂફ, સાચુ સરનામું અને માતાનું નામ શામેલ છે.
  • પોસ્ટ ઓફિસ બચત ખાતા ધારકો કોઈપણ મુખ્ય અથવા સબ પોસ્ટ ઓફિસ પર આ સુવિધા મેળવવા માટે અરજી કરી શકે છે.
  • આ અરજી કોઈપણ પોસ્ટ ઓફિસ શાખામાં કરી શકાતી નથી.
  • આ માટે ખાસ તૈયાર કરેલું ફોર્મ ભરીને સબમિટ કરવવાનું રહેશે.
  • ગ્રાહકો પાસે કેવાયસી હોવું જોઈએ. જો કેવાયસી સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ નથી, તો તેના માટે પણ અરજી કરી શકાય છે.
  • આ ફોર્મ તે જ પોસ્ટ ઓફિસમાં સબમિટ કરી શકાય છે જ્યાં સીબીએસ સુવિધા ઉપલબ્ધ છે અને ખાતા ધારકનું એકાઉન્ટ તે જ પોસ્ટ ઓફિસમાં છે.
  • મોબાઈલ બેંકિંગ સુવિધા ફોર્મ ભર્યાના 24 કલાક પછી શરૂ કરવામાં આવશે.
  • ગ્રાહકોનો સીઆઈએફ યુઝર આઈડી રીતે અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડને પાસવર્ડ તરીકે ઉપયોગ કરી શકાશે.
  • બચતખાતા ધારકોને મોબાઈલ બેંકિંગ સુવિધા બાદ આ સુવિધા મળશે.
  • કોઈ પણ પ્રકારનાં ખાતામાં હાજર બેલેન્સની જાણકારી
  • દરેક પ્રકારનાં ખાતાની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી
  • પીપીએફ અને બચત ખાતાનું મીની સ્ટેટમેન્ટ
  • પોતાના બચતમાંથી પોસ્ટ ઓફિસનાં બીજા બચત ખાતામાં ફંડ ટ્રાન્સફર
  • આરડી, પીપીએફ, LARD જેવા ખાતામાં ફંડ ટ્રાન્સફરની સુવિધા
  • આરડી અને ટાઈમ ડિપોઝીટ ખાતું ખોલવાનો આગ્રહ કરવો
  • ચેકની ચુકવણી રોકવાનો આગ્રહ કરવો
  • ભવિષ્યમાં જો કોઈ ખાતાધારક આ સુવિધાને બંધ કરવા માંગે છે તો તેણે ફરીથી આવેદન કરી શકે છે. ત્યારબાદ 24 કલાકની અંદર આ સુવિધા બંધ કરી દેવામાં આવશે.