મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ ૩૦ ઑક્ટોબર ૨૦૧૯ બુધવારે રજા જાહેર કરી છે.
આ રજા તારીખ ૯ નવેમ્બર ૨૦૧૯ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં જાહેર કરવામાં આવી છે. જેને કારણે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓને દિવાળી પર્વ નિમિત્તે મીની વેકેશન મળી ગયું છે. 26મી ઓક્ટોબરે ચોથો શનિવાર હોવાથી રજા છે. ત્યારબાદ દિવાળીના દિવસે એટલે કે 27મીએ રવિવાર આવે છે જ્યારે સોમને મંગળવારે પણ ભાઈ બીજને બેસતા વર્ષની જાહેર રજા છે. બુધવાર 21મી નવી જાહેર રજા મળતા કર્મચારીઓને દિવાળીની ભેટ મળી ગઈ છે.
આથી રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી ૯ નવેમ્બરે કાર્યરત રહેશે. અને ૩૦ ઓકોટબરે રજા પાળશે.

