ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. […]

Continue Reading

ભારતને દશેરાના દિવસે રાફેલ મળશે, ફ્રાન્સમાં રક્ષા મંત્રી હાજર રહેશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી દશેરાના અવસર પર ફ્રાન્સના પાટનગર પેરિસમાં શસ્ત્રપૂજા (હથિયારોની પૂજા) કરશે. પૂજા દરમિયાન ભારતીય વાયુસેના માટે 8 ઓક્ટોબરના ફ્રાન્સ પાસેથી પ્રથમ રાફેલ વિમાન પ્રાપ્ત કરશે. રાજનાથ પોતાના પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રો સાથે પણ મુલાકાત કરશે. રક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહ દર વર્ષે દશેરના અવસરે શસ્ત્ર પૂજા કરે છે. […]

Continue Reading

આરેમાં વૃક્ષછેદન મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય: આજે સુનાવણી

મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષ કાપવા અંગે સુપ્રીમ કોર્ટે ખુદ સક્રિયતા દર્શાવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા પત્ર પછી હવે સુપ્રીમ કોર્ટ આ મામલે ૭ ઓક્ટોબરે સોમવારે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે એક પ્રતિનિધિમંડળે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને આરેમાં વૃક્ષછેદનની પ્રવૃતિ અંગે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં અનુરોધ હતો કે સુપ્રીમ કોર્ટના […]

Continue Reading

અભિનંદન અને મિરાજ 2000ની સ્ક્વૉડ્રન, મિંટી અગ્રવાલના સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ સન્માનિત કરશે

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રનઅને મિરાજ 2000ની 9 સ્ક્વૉડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશંસા પત્રથી સન્માનિત કરશે. આ ત્રણેય યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે. […]

Continue Reading

હૈદરાબાદના ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રેનર એરક્રાફટ ક્રેશ, 2 પાયલટના મોત

તેલંગાનાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ટ્રેનર એરક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે પાયલટના મોત થયા છે. તેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન હૈદરાબાદના એક ફલાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને ટ્રેની પાયલટોએ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. બાદમાં આ વિમાન હૈદરાબાદથી 100 કિલોમીટર દૂર એક ગામમાં ક્રેશ થઈ […]

Continue Reading

અમદાવાદથી ઉપડતી 7 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે, 5 વિશેષ ટ્રેનો પણ દોડાવાશે

દિવાળીના તહેવારોને લઈ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન અમદાવાદથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ભારતમાં જતી વિવિધ ટ્રેનોમાં તેમજ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી ટ્રેનોમાં વધારાના 3 ટિયર એસી કોચ, સ્લીપર કોચ જોડવામાં આવશે. ઉપરાંત પાંચ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. તહેવારોની સિઝનને લઈ ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને લઈ પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 30 ટ્રેનોમાં વધારાના કોચ લગાડવામાં […]

Continue Reading

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક પુલ ધરાશાયી, ચાર કાર ખાબકી

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક આજે પુલ ધરાશાયી થયો હતો. આ દરમિયાન તેના પરથી પસાર થતી ત્રણથી ચાર કાર પણ નીચે ખાબકી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ગીર વિસ્તારમાં વધુ વરસાદથી કોઝવે તૂટ્યો જૂનાગઢથી મેંદરડા થઇને સાસણ તરફ જતા માલણકા પાસે આવેલો પુલ આજે […]

Continue Reading

POKથી 1 લાખ લોકોની LOC તરફ કૂચ, 8 કિમી દૂર અટકાવાઈ, કેટલાકે પહાડ પર ચઢી આગળ જવાની કોશિશ કરી

પાક. કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)થી રવિવારે મોટી સંખ્યામાં પાક. સમર્થક લોકોએ એલઓસી તરફ આવવા કૂચ કરી હતી. જોકે પાક. પોલીસે તેમને 7થી 8 કિલોમીટર દૂર જ અટકાવી દીધા હતા. મીડિયાના અહેવાલ મુજબ 1 લાખ લોકો ભેગા થયા છે. મોટા ભાગના યુવાનો છે જે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદથી શનિવારે ગઢીદુપટ્ટા આવી ગયા હતા. રાત્રે ત્યાં રોકાયા પછી […]

Continue Reading

નજરકેદમાં રહેલા ફારૂક અબ્દુલાને આ પ્રતિનિધિમંડળ મળી શકશે, તંત્રએ આપી મંજૂરી

જમ્મુ-કાશ્મીરના સરકારી તંત્રએ નેશનલ કોન્ફ્રેન્સના જમ્મુ યુનિટના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી છે. ફારૂક અને ઓમર બંને પાંચ ઓગષ્ટથી નજરકેદ છે. પાર્ટીના પ્રવક્તા મદન મંટૂએ આ અંગે જાણકારી આપી છે. જમ્મુ નેશનલ કોન્ફ્રેન્સનું આ પ્રતિનિધિમંડળ રવિવારે બંને નેતાઓને મળશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદથી નેતાઓ અને ભાગલાવાદીઓને […]

Continue Reading

નવજીવન ક્રેડિટ કો. ઓપ.ની બંને બ્રાંચો પર CID ત્રાટકીઃ 4500 લોકોનાં નાણાં સલવાયા

બેન્કથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને હજ્જારો રોકાણકારોના કરોડો રૂપિયા ઓળવી જનારી નવજીવન ક્રેડિટ કો. ઓપ. સોસાયટી સામે સીઆઇડીએ તપાસ શરૂ કરી છે. શનિવારે આ બેન્કની રાજકોટની બંને બ્રાન્ચમાં તપાસ શરૂ કરાઈ હોવાના અહેવાલ મળ્યા છે. મળતી માહિતી મુજબ, બેન્કમાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ૪૫૦૦થી વધુ લોકોના નાણાં સલવાયેલા છે. રાજસ્થાનના કેટલાક શખ્સોએ રાજકોટમાં બે, ગોંડલમાં એક […]

Continue Reading