પાણીનો ભરાવો થતા ભાવનગર-અમદાવાદ હાઈવે તોડવાની ફરજ પડી

ગઈકાલે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગર-ધોલેરા-અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. હાઈવેની બંન્ને બાજુ પાણી ભરાયા તેમજ હાઈવે ઊપરથી પણ પાણી વહી રહ્યું હતું ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવા માટે તંત્રને ના છૂટકે હાઈવે તોડવાની ફરજ પડી છે. હાલ માઢિયા નજીક ભાવનગર-અમદાવાદ હાઈવે તોડવામાં આવ્યો છે જેની સીધી અસર વાહન […]

Continue Reading

370ની અસર, પાક.મા મહારાજા રણજીત સિંહની મુર્તી તોડવામાં આવી

પાકિસ્તાનના લાહોર શહેરમાં મહારાજા રણજીત સિંહની મુર્તી તોડવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ બે લોકોએ મહારાજા રણજીત સિંહની મુર્તીને ખંડીત કરી છે. આ જ વર્ષે જૂનમાં લાહોરના કિલ્લામાં મહારાજાની 9 ફુટની ઉંચી મુર્તી સ્થાપીત કરવામાં આવી હતી. શિખ સામ્રાજ્યના શાસક રહેલા રણજીત સિંહે 19 સદીના શરૂઆતમાં જમ્મુ-કાશ્મીર સહિત પંજાબમાં શાસન કર્યું હતું. પોલીસે આરોપીઓની […]

Continue Reading

કસાબને જીવતા પકડનાર પોલીસ અધિકારીને કરાયો સસ્પેન્ડ, દાઉદ સાથે જોડાયેલો મામલો

સંજય ગોવિલકર એટલે કે મુંબઈમાં થયેલા હુમલામાં કસાબને જીવતો પકડનાર ઓફિસર. 26-11ના મુંબઈ પર થયેલા હુમલામાં કસાબને જીવતો પકડનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારી સંજય ગોવિલકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાઉદના સાગરીત સોહેલ ભામલાને મુંબઈ એરપોર્ટ પરથી જવા દેવાનાં મામલે ગોવિલકરને સસપેન્ડ કરવામાં આવ્યાં છે. દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ ભામલાને એરપોર્ટ પર તાબામાં લેવામાં […]

Continue Reading

આતંકીઓના ટાર્ગેટ પર દિલ્હીનો લાલ કિલ્લો! 15 ઓગસ્ટે ધમાકો થવાની આશંકા, એલર્ટ જાહેર

દેશની રાજધાની દિલ્હીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 15 ઓગસ્ટે એટલે કે રાષ્ટ્રીય તહેવારે રાજધાની દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પર આતંકી હુમલાનો મોટો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલમાં તો સુરક્ષા એજન્સીએ વાતને ગંભીરતા પુર્વક લઈને એલર્ટ પણ જાહેર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આતંકીઓ અફઘાનિસ્તાનના પાસપોર્ટથી રાજધાની દિલ્હીમાં […]

Continue Reading

સીબીએસઇ દ્વારા એસસી-એસટી વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો, જનરલ કેટેગરીને બમણી ફી આપવી પડશે

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ)એ 10 અને12મા ધોરણમાં બોર્ડના વિદ્યાર્થીઓની ફીમાં વધારો કર્યો છે. એસસી-એસટી વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વિદ્યાર્થીઓને 50 રૂપિયા ફી આપવી પડતી હતી જે વધીને 1200 રૂપિયા થઇ ગઇ છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 1500 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા કરતા બમણી છે. બોર્ડે […]

Continue Reading

12 ઓગષ્ટે અમદાવાદમાં વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી ઉજવાશે, વાંચો તેમના જીવનના પ્રેરક કિસ્સાઓ

અમદાવાદ: ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ. વિક્રમ સારાભાઇની 12 ઓગષ્ટના જન્મતિથી છે. આ પ્રસંગે 12 તારીખે અમદાવાદમાં તેમનો જન્મ શતાબ્દી સમારોહ યોજવામાં આવશે. ઇસરો અને એટમિક એનર્જી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરુ થશે. તે અંતર્ગત એક વર્ષ સુધી તેમના સન્માનમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે divyabhaskar.com પર વાંચો તેમના જીવન સાથે જોડાયેલા […]

Continue Reading

કાશ્મીર પર ઈમરાન બોલ્યા- આરએસએસની વિચારધારાથી ડરું છું, કાશ્મીરનો નરસંહાર હિટલરથી પ્રેરિત

ઈસ્લામાબાદ: જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે વિકસિત કરવાના નિર્ણય પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાને ખાને મોદી સરકાર પર ટિપ્પણી કરી છે. ઈમરાને રવિવારે ટ્વિટ કર્યું, – કાશ્મીરમાં કર્ફ્યૂ, પોલીસની કાર્યવાહી અને જનસંહારની પરિસ્થિતિ આરએસએસની વિચારધારાને દર્શાવે છે અને તે હિટલરની નાઝી વિચારધારાથી પ્રેરિત છે. ભારત કાશ્મીરની ડેમોગ્રાફી(વસ્તીશાસ્ત્ર)ને બદલવાની કોશિષ કરી […]

Continue Reading

ભૂટાનના રાજાએ સુષમા સ્વરાજની યાદમાં હજારો દીવાઓ પ્રગટાવ્યા

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા હજારો દીવડાઓ પ્રગટાવ્યા હતા અને પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે પૂર્વ વિદેશ પ્રધાન માટે વિશેષ પ્રાર્થના સિમ્ટોખા દજોંગમાં યોજવામાં આવી હતી. ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના અહેવાલ મુજબ વાંગચુકે સ્વરાજના પરિવારને શોક સંદેશ પણ આપ્યો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે […]

Continue Reading

ફિલ્મ જગતનાં દરિયામાંથી ‘બેસ્ટ ફીચર ફિલ્મ’નો મોતી લઇને આવી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’

66માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ મેદાન માર્યું. બોલીવુડ જેવી વિશાળ ઇન્ડસ્ટ્રીની ‘અંધાધૂન’, ‘બધાઈ હો’, ‘ઉરી’ જેવી ફિલ્મો તેમજ અન્ય ભાષાઓની ફિલ્મો સાથેની દોડમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ ‘બેસ્ટ ફીચર ફિલ્મ’નો એવૉર્ડ જીતીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખ મજબૂત કરવાનું કામ કર્યું છે. રાષ્ટ્રિય પુરસ્કાર જીતતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ વિશે જાણવાની અને જોવાની ઉત્સુક્તા […]

Continue Reading

J&K / જમ્મુ-કશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલ તરીકે આ નામની ચર્ચા

આંતરરાષ્ટ્રીય સ્તરે કુખ્યાત ચંદનચોરને ઠાર મારનાર પૂર્વ IPS અધિકારી વિજય કુમારનું નામ હાલ ફરી એક વખત ચર્ચામાં છે. વિજય કુમાર તમિલનાડુ કેડરના 1975ની બેચના IPS અધિકારી છે. હાલ તેઓ જમ્મુ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર છે. વીરપ્પન વર્ષો સુધી જ્યારે તમિલનાડુ અને કર્ણાટકની સરકાર માટે માથાના દુખાવા રૂપ બન્યો હતો અને કરોડોનો ખર્ચ કરવા છતાં […]

Continue Reading