‘જનતા કર્ફ્યુ’ના દિવસે 2400 પેસેન્જર ટ્રેન અને 1300 મેલ તથા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી

22 માર્ચે જનતા કર્ફ્યુના લીધે કોરોના વાયરસ સામે લડવા માટે ભારતીય રેલવેએ 2400 પેસેન્જર ટ્રેન અને 1300 મેલ તથા એક્સપ્રેસ ટ્રનો રદ કરી છે. શનિવાર (21 માર્ચ) મધ્યરાત્રિથી રવિવાર રાત્રે 10 વાગ્યા દરમિયાન એકપણ સ્ટેશનથી કોઇ પેસેન્જર ટ્રેન ઉપડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ રવિવારે સ્ટોપ કરવામાં આવશે.  દેશમાં કોરોના વાયરસની ઘાતક પરિસ્થિતિને જોતા […]

Continue Reading

ક્વોરન્ટાઈનના જાહેરનામાના ભંગનો પ્રથમ ગુન્હો અમદાવાદમાં, સિંગાપોરથી આવેલ વ્યક્તિ બેસણામાં પહોંચી

જીવલેણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે નિયમોનું પાલન નહીં કરવા બદલ ગુન્હો નોંધાયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા સચીન પટેલને સિંગાપોરથી આવ્યા બાદ ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા આદેશો આપવામાં આવ્યા હતા પરંતુ આજે તેઓ બેસણામાં ગયા હતા. જેથી પોલીસે તેમને […]

Continue Reading

વડોદરામાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો, આઈસોલેશનમાં દાખલ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

વડોદરામાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના પોઝિટીવના બે કેસ નોંધાતા તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. અત્યાર સુધી કોરોનાને મજાક સમજતા તંત્ર સામે હવે મોટો પડકાર ઉભો થયો છે. આ દરમ્યાન આઇસોલેશન વોર્ડમાં દાખલ નિઝામપુરાના એક આધેડ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવતા વડોદરામા કોરોના પોઝિટિવની સંખ્યા 3 થઈ ગઈ છે. આ સંખ્યા વધી શકે છે. ગત તા.11મી […]

Continue Reading

ભારતની સ્થિતિ ઈટાલીથી એક મહિનો અને અમેરિકાથી માત્ર 15 દિવસ દૂર

હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપછી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી રહી છે. ઘટતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી […]

Continue Reading

અમદાવાદમાં વધુ ત્રણ અને વડોદરામાં એક નવો કેસઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 11, મુખ્યમંત્રી અમદાવાદ સિવિલની મુલાકાતે

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ […]

Continue Reading

વેકેશન લંબાશે તો ધો.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા

ગુજરાતભરની શાળા કોલેજમાં કોરોનાને કારણે 29 માર્ચ સુધી ફરજીયાત વકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો આ વેકેશન લંબાવવામાં આવે તો ધોરણ 1 થી8 માં માસ પ્રમોશન આપવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને અનુલક્ષીને વકાશન લંબાવવાની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં એટલે […]

Continue Reading

ઈડર: ફ્રેન્ડશિપના બહાને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ

સોશિયલ મિડીયામાં મિત્રતા બાંધી હનીટ્રેપ ગોઠવીને લોકોને ફસાવતી ગેંગને ઝડપી પાડવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી હતી. ઇડર પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી લઇ સુરત, પાટણ, મોડાસા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પ્રતિષ્ઠિત વ્યકિતઓને હનીટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા પડાવી લેવાની કબૂલાત કરતા તમામ આરોપીઓની અટકાયત કરી પોલીસે સઘન પુછપછર હાથ ધરી […]

Continue Reading

અમદાવાદ, વડોદરામાં કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ પાંચ કેસ નોંધાય

કોરોના વાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત પણ કોરોના વાઇરસથી અછુતુ નથી રહ્યું. ગુરૂવારના રોજ કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ આજે ત્રણ નવા કેસ સામે આવ્યાં છે. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આ અંગે જાહેરાત કરી છે. ભારતમાં કોરના વાઇરસના કેસો વધી રહ્યાં છે ત્યારે બુધવાર સુધી ગુજરાતમાં એકેય કેસ […]

Continue Reading

ચારેય દોષિતોને એક સાથે ફાંસીના માચડે લટકાવાયાઃ નિર્ભયાને સાત વર્ષ પછી ન્યાય મળ્યો

નિર્ભયા કેસના ચારેય દોષિતો વિનય, અક્ષય, પવન અને મુકેશને આજનો સૂરજ ઉગે તે પહેલા જ ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવ્યા છે. નિર્ભયા અને તેના પરિવારને સાત વર્ષ પછી ન્યાય મળ્યો છે. દિલ્હીના રસ્તાઓ પર લગભગ સાત વર્ષ અગાઉ નિર્ભયાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા ચારેય દોષિતોને ફાસીના માચડા પર લટકાવવા માટે હવે ગણતરીની ઘડીઓ […]

Continue Reading

હું આજે સંતુષ્ટ છું, આખરે અમારી દીકરીને ન્યાય મળ્યો ખરોઃ આશા દેવી

નિર્ભયા પર સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને શુક્રવારે સવારે ફાંસીની સજા આપી દેવામાં આવી છે. જેના પર નિર્ભાયની માતા આશા દેવીએ કહ્યું કે, આજનો દિવસ દેશની દીકરીઓના નામે છે. આખરે નિર્ભયાને ન્યાય મળ્યો ખરો. નિર્ભયાકાંડથી સમગ્ર દેશ શરમમાં ડૂબી ગયો હતો, જેને આજે ન્યાય મળ્યો છે. નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે હું કાયદા વ્યવસ્થાનો […]

Continue Reading