આજે સાંજે 5 વાગ્યે પ્રચારનાં પડઘમ શાંત, 23મીએ ગુજરાતની 26 સહિત દેશની 117 બેઠક પર મતદાન યોજાશે

લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે. જેથી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત જશે. ત્રીજા તબક્કામાં 16 રાજ્યની 117 બેઠક પર 23મી એપ્રિલે મતદાન થવાનુ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત સૌથી વધુ […]

Continue Reading

પહેલા થપ્પડ પછી દંગલ: અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં હોબાળો, ખુરશીઓ ઉછળી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને કલાકો બાકી છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. જેમાં અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા હતી. આ સભામાં બઘડાટી બોલી છે. હાર્દિક પટેલની આ સભામાં બેફામ રીતે ખુરશીઓ ઉછળી હતી. આ ઘટનામાં ખુરશી ઉછળ્યા બાદ હંગામો […]

Continue Reading

સુરતમાં મોટો રાજકીય ખળભળાટ, 6 લાખ અને 20 લાખ લોકોના બે સમાજે કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરતના રાજકારણમાં ફરી એક વખત ખળભળાટ મચ્યો છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજ અને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની સંખ્યા 6 લાખ જેટલી છે. જ્યારે ઉત્તર ભારતીય સમાજના લોકોની સંખ્યા 20 લાખ જેટલી છે. ઉત્તર […]

Continue Reading

શ્રીલંકામાં ઈસ્ટરની ઉજવણી વખતે કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 160ના મોત અને 350 ઘાયલ

શ્રીલંકામાં ઈસ્ટરની ઉજવણી દરમ્યાન રાજધાની કોલંબોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા. જેમા 160ના મોત અને 350 જેટલા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. આ બોમ્બ વિસ્ફટ કોલંબો શહેરના અલગ-અલગ ચાર ચર્ચ અને બે હોટલમાં થયો. ચર્ચમાં પ્રાથના ચાલી રહી હતી ત્યારે પ્રચંડ વિસ્ફોટ થયો જેથી ચર્ચનું છાપરૂ પણ ઉડી […]

Continue Reading

IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ

ભારતીય વાયુસેના (IAF)એ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વોર ટાઇમ ગેલેન્ટ્રી મેડલ વીર ચક્ર આપવા માટેની ભલામણ કરી છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ અભિનંદનને સુરક્ષા કારણોથી શ્રીનગર એરબેઝથી ટ્રાન્સફર કરી દીધું છે. મળતી માહિતી અનુસાર કાશ્મીર ખીણમાં અભિનંદનની સુરક્ષાને ધ્યાને રાખી તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર અભિનંદન વર્તમાનને વેસ્ટર્ન સેક્ટરનાં […]

Continue Reading

ભાજપ દ્વારા હાર્દિક પટેલની હત્યાનું કાવતરુ ધડવામાં આવી રહ્યું છે: નીખીલ સવાણી

નિકોલના વિરાટનગર વિસ્તારમાં થયેલી સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલના સાથી નીખીલ સાવણી દ્વારા મહત્વનું નિવેદન આપાવમાં આવ્યું છે. નીખીલ સવાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી ઉત્સવ ડોંડા હાર્દિક પટેલની હત્યા કરી શકે છે. તેવું ચોકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. અને ગુજરાત પોલીસને જાણ કરી હતી કે, જો હાર્દિકનું મર્ડર થશે તો […]

Continue Reading

હાર્દિક પટેલની સભામાં હોબાળો, છુટ્ટા હાથની મારામારીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો લાફાકાંડ હજી ખાળે પણ નથી પડ્યો ત્યાં તો અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલના પ્રચાર કરવા માટે પહોચ્યો ત્યારે સભામાં હાર્દિકે સભા સંબોધવાની શરૂઆત કરતા જ લોકો ઉગ્ર થયા અને મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા સભાને સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો લાફાકાંડ હજી ખાળે પણ નથી […]

Continue Reading

રાહુલ બાદ હવે PM મોદી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડશે? આ રાજ્યમાંથી ઉઠી માગણી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની પશ્ચિમ બંગાળ શાખાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની કોઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ભલામણ કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે શનિવારે આ જાણકારી આપી. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકો છે. જેના માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. રોયે કહ્યું કે, ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઈચ્છા પ્રગટ કરી છે કે […]

Continue Reading

દિલ્હીમાં ભાજપના વડામથકે પત્રકાર પરિષદમાં જીવીએલ નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકાયું

દિલ્હી ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલયમાં ગુરુવારે બપોરે પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકવાની ઘટના બની હતી. ચપ્પલ ફેંકનારી વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભાજપના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને સંબોધી રહેલા ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. જાણવા મળ્યા […]

Continue Reading

પિતરાઈ ભાઈ વરુણ ગાંધીએ કહ્યું- રાહુલ 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે

રાજકીય ગલીઓમાંથી પીએમ મોદીના મનમાં ફરી સ્થાન મેળવવા માટે વરુણ ગાંધી દરેક પ્રયાસો કરી રહ્યા છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ ભાઈ-બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ટીકાઓ કરવાથી દુર રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, રાહુલ મોદી સાથેના મુકાબલામાં જીતી નહીં શકે. સાથે જ કહ્યું કે, દાયકાઓ સુધી રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં […]

Continue Reading