કાબુલમાં આતંકવાદી હુમલોઃ 32 લોકોના મોત, US-તાલિબાન સમજૂતી બાદનો આ સૌથી મોટો હુમલો થયો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે આંતકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે અને 61 ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન IS દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. એક વર્ષ અગાઉ હિજ્બ-એ-વહદતના નેતા અબ્દુલ અલી મજારીનું અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી એક જાહેરસભામાં આ હુમલો થયો હતો. બે […]

Continue Reading

Yes Bankના સ્થાપક રાણા કપૂરને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લવાયા

સંકટમાં મુકાયેલી યસ બેન્કના પૂર્વ ચેરમેન અને સ્થાપક રાણા કપૂરના નિવાસ સ્થાન પર ગઈકાલે રાતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આજે પૂછપરછ માટે રાણા કપૂરને ઈડીની ઓફિસમાં લાવવામાં આવ્યા છે. આ પહેલા રાણાની તેમના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી હતી.અધિકારીઓનુ કહેવુ છે કે, તેમની સામે મની લોન્ડરિંગના મામલાની તપાસના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી […]

Continue Reading

‘દરિયાપુર કો શાહીનબાગ બના દો’ વાઈરલ કરનારા સામે કાર્યવાહી કરો

દેશમાં CAA-NRCના વિરોધમાં અને સમર્થનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં CAA-NRCના વિરોધમાં શાંતિપૂર્ણ-અહિંસક દેખાવ થયા છે અને કોઈ અનિચ્છનિય ઘટના બની નથી, છતાં કેટલાક રાજકીય તત્વો અમદાવાદ સહિત ગુજરાતની શાંતિ ડહોળવા મેદાને પડ્યા છે તેવી ફરિયાદ સાથે કોંગ્રેસના શાહપુર-દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આવા […]

Continue Reading

દિલ્હી હિંસા પર 11 માર્ચના રોજ સંસદમાં ચર્ચા થશે, ગૃહમંત્રી અમિત શાહ આપશે જવાબ

દિલ્હીમાં થયેલી હિંસા પર સંસદમાં હોળીના આગળના દિવસે એટલે કે 11મી માર્ચના રોજ ચર્ચા થશે અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચર્ચામાં જવાબ આપશે. આ ખુલાસો શુક્રવારના રોજ થયો છે. આ સંવેદનશીલ મુદ્દા પર વિપક્ષના દબાણ બાદ પણ સરકારે ચર્ચાની માંગને હોળી પછી ટાળી દીધી હતી. લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ચર્ચા માટે યોગ્ય સમય નથી. […]

Continue Reading

CCTV હશે તેવી શાળાઓમાં જ બિન સચિવાલની પુન: પરીક્ષા લેવાશે: નીતિન પટેલ

હાલ ચાલી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા પછી વેકેશનમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કરી છે. તે સાથે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એલઆરડીની ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક વિરોધીઓ અને રાજકીય પક્ષો દ્વારા ગુજરાતની શાંતિ હણવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો […]

Continue Reading

યસ બેન્ક સંકટમાં, ખાતેદારો મુશ્કેલીમાં, બેન્કનું સર્વર ડાઉન થતાં લાઈનમાં ઉભેલા લોકોમાં રોષ

રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36ac હેઠળ પ્રતિબંધ મૂકીને નાણા ઉપાડની મર્યાદા 50 હજાર કરી નાખી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવતા જ બેન્કમાં ખાતા ધરાવતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુરુવારે રાત્રે જ એટીએમ બહાર ખાતેદારો પૈસા ઉપાડવા માટે લાઈનોમા ઉભા રહ્યાં હતા. ત્યારે […]

Continue Reading

વરસાદના કારણે કોરોના વાઇરસ નહીં ફેલાય, બંને વચ્ચે નાવા નીચોવાનો પણ સંબંધ નથી

દેશમા દિલ્હી એનસીઆર તેમજ ઉત્તર ભારતમા થયેલી કમોસમી વરસાદના કારણે લોકોને કોરોના વાઇરસ વધુ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે આઇએમઆરસીના પ્રમુખ ડો બલરામ ભાર્ગવએ કહ્યુ કે, વરસાદના કારણે તાપમાનમા ઘટાડો થવાથી કોરોના વાઇરસ વધુ ફેલાય તેવી લોકોની આશંકાને નકારી કાઢી છે. તેમણે વધુમા કહ્યુ કે, કોરોના વાઇરસને લઇને થયેલા સંશોધનમા આવી કોઇ વાત […]

Continue Reading

યસ બેન્કનો શેર 85 ટકા તૂટ્યો, માર્કેટ કેપમાં રૂ. 5,432 કરોડનું ધોવાણ

યસ બેન્ક સામે ઉભા થયેલા સંકટને પગલે શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું. આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન […]

Continue Reading

દિલ્હી હિંસા પર ઈરાનના સુપ્રીમ લીડરે કહ્યું- ભારતના મુસ્લિમો જોખમમાં છે

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમૈનીએ ગુરુવારે દિલ્હી તોફોનાનોને લઈને ભારત સરકાર પર નિશાન તાક્યું હતું. ખોમૈનીએ જણાવ્યું કે, ભારતની હાલની સ્થિતિને જોઈને લાગે છે કે ત્યાંના મુસ્લિમો જોખમમાં છે. હાલ આ મામલે ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને ખોમૈનીનો આભાર વ્યક્ત કર્યો અને કાશ્મીરના મુસ્લિમો અંગે મોદી […]

Continue Reading

રવિન્દ્ર જાડેજાને રણજી ટ્રોફી રમવા માટે બીસીસીઆઈએ મંજૂરી ન આપી

રવિન્દ્ર જાડેજા પશ્ચિમ બંગાળ સામે 9 માર્ચના રોજથી શરૂ થનારી રણજી ટ્રોફીની ફાઈનલમાં નહીં રમી શકે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન (એસસીએ)એ જાડેજાને ટીમમાં લેવા માટે કરેલી માગને ફગાવી દીધી છે. ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશના પ્રમુખને કહ્યું કે રાજ્ય કરતા દેશ પહેલા આવે છે. જેથી જાડેજાને રણજીની ફાઈનલ રમવા માટે મંજૂરી ન આપી […]

Continue Reading